અમદાવાદ/ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીએ કર્યો આપઘાત, જાણો કારણ

Ahemdabad Breaking News: અમદાવાદમાં એક મહિલા પોલીસ કર્મીએ આપઘાત કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.આ મહિલા પોલીસકર્મી નામદાવાદ(Ahemdabad Breaking News) એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતીહોવાનું સામે આવ્યું છે.ત્યારે આરતી નામની આ મહિલાએ એસઆરપી-2 ક્વાટર્સમાં તેણે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમજ આ અંગે તપાસ કરતા પારિવારિક ઝઘડામાં આપઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

અમદાવાદ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજવાતી મહિલા પોલીસકર્મી આરતીબેન આપઘાત કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. SRP 2 કવાટર્સમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે મહિલા પોલીસ કર્મીએ પારિવારિક ઝઘડામાં આપઘાત કર્યો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. નરોડા પોલીસે અકસ્માતે મોત નોંધીને ઝીંણવટપૂર્વક તપાસ શરૂ કરી છે. મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા પહેલા કોઈ સ્યુસાઈડ નોટ લખી છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે.

આ અગાઉ પણ શહેરના એક પોલીસ કર્મચારીએ આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો હતો.જેમાં શહેરના વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસેની ક્રૃષ્ણનગર સોસાયટીમાં ગત તા. 9.10.2023ના રોજ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલા કોન્સ્ટેબલ હિતેષ આલે આપઘાત કર્યો હતો.મૃતક હિતેષને એસજી-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી રીંકલ અમરતભાઇ સાથે પ્રેમ સંબંધ હતો. ત્રણેક વર્ષમાં રીંકલે પ્રેમ સંબંધ કેળવી અન્ય લોકો સાથે સંબંધો બાંધ્યા હોવાથી હિતેષએ તેની સાથે સંબંધો પૂરા કરી નાખ્યા હતા. રીંકલે હિતેષભાઇ પાસેથી નાણાં પડાવી માનસિક ત્રાસ આપી કેસ કરવાની ધમકીઓ આપી હિતેષભાઇની પત્નીને ફોન કરીને ઝઘડો કર્યો હતો.જેથી કરીને તેણે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.