અરે બાપરે…જામનગરમાં બાલાજીની વેફરમાંથી નીકળ્યો તળેલો દેડકો!

Jamnagar Balaji Wafer News: આજકાલ ખાણી -પીણીની વસ્તુઓમાંથી કંઈક ને કંઈક અજીબ વસ્તુઓ નીકળતી હોય તેવી ઘટનાઓ બનતી હોય છે. પરંતુ આવી ઘટનાઓ બનવી જાણે કે સામાન્ય થઈ ગઈ હોય એમ બની રહી છે. આવી જ એક ઘટના જામનગરમાંથી(Jamnagar Balaji Wafer News) સામે આવી છે. જ્યા વેફરના પડીકામાથી દેડકો નીકળ્યો છે. પુષ્કરધામ સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ બાલાજી વેફર ખરીદી હતી જેમાંથી મરેલો દેડકો નીકળતા ચકચાર મચી છે. આ મામલે ફૂડ વિભાગને જાણ કરતા ફુડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

વેફરના પેકેટમાંથી તળેલો દેડકો જોવા મળતો
આ અંગે વિગતવાર જામનગરના પુષ્કરધામ સોસાયટીમાં રહેતા જસ્મીન તાલપરાએ પટેલ પ્રોવિઝન માંથી બાલાજી વેફર ખરીદી હતી. જેવું વેફર પેકેટ ખોલ્યું કે એમાંથી મરેલો તળેલો દેડકો જોવા મળ્યો હતો. આ બાબતે જસ્મીન તાલપરાએ તરત જ દુકાનમાં વાત કરી હતી.દુકાનવાળાએ ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કરવા જણાવ્યું હતું. ત્યારબાદ તેમણે ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કરતા સરખો જવાબ ન મળતા જામનગર મહાનગરપાલિકાના ફુડ વિભાગનો કોન્ટેક કરીને સમગ્ર મામલાની જાણ કરી હતી.

બાલાજીની એજન્સીમાંથી યોગ્ય જવાબ મળ્યો ન હતો
આ અંગે ફૂડ શાખાએ જણાવ્યું હતું કે નમૂનો લેબમાં મોકલવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે મને આ મુદ્દે બાલાજીની એજન્સીમાંથી યોગ્ય જવાબ મળ્યો ન હતો. ગ્રાહકે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે. ગુજરાતમાં ફૂડ પ્રોડક્ટ્સમાંથી હવે અખાદ્ય ચીજો મળવી જાણે સામાન્ય બાબત બની ગઈ છે.

આવી ઘટના હવે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે
મહત્વનું છે કે, ફૂડ પ્રોડક્ટ્સમાંથી હવે અખાદ્ય ચીજો મળવી જાણે સામાન્ય બાબત બની ગઈ છે. રેસ્ટોરન્ટના ફૂડ વિભાગમાંથી વંદો નીકળવો કે પછી આઇસ્કીમમાંથી આંગળીઓ નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે.