આણંદ: ટ્રકે બાઈકને ટક્કર મારતાં નોકરી જવા નીકળેલા 3 નવયુવાનોને થયો મોતનો ભેટો

રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે એમ છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારે હાલમાં આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના રાજ્યમાં આવેલ આણંદ જીલ્લામાંથી સામે આવી રહી છે.

આણંદ જીલ્લાનાં ઓડ ગામ નજીક વહેલી સવારમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં નોકરી જવા માટે નીકળેલા કુલ 3 આશાસ્પદ યુવકોના મોત થયા છે. ત્રણેય યુવકો કાળમુખી ટ્રક નીચે આવી જતાં મોત નીપજ્યું હતું. ઘટનાસ્થળ પર જ કુલ 3 યુવકોના કમકમાટીભર્યું મોત થયાં હતાં.

આંણદના ઓડ નજીક કણભાઈપુરા રોડ પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં અહી રહેતા નરંજન મણિભાઈના કુવા નજીક વહેલી સવારના 6 વાગ્યે મોટર સાઈકલ તથા ટ્રક એકબીજા સાથે અથડાયા હતાં. સાવલીના મંજુસર પાસેની કંપનીમાં જવા માટે કુલ 3 નવયુવાનો નીકળ્યા ત્યારે ટ્રકે મોટર સાઈકલને અડફેટે લેતાં 23 વર્ષીય મનોજ રણછોડ ઠાકોર અને 25 વર્ષીય ભરત પુંજા તથા 30 વર્ષીય રાજુ ઠાકોરનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું.

જે ટ્રક સાથ બાઈકનો ભયંકર અકસ્માત સર્જાયો હતો તે મધ્યપ્રદેશ પાસિંગનો ટ્રક હતો. અકસ્માત સર્જાતાં ટ્રક ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધીને ટ્રક ચાલકને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આં ઇસાથે જ બીજી બાજુ મણિભાઈના 3 મૃતદેહને જોઈ અરેરાટીભર્યો માહોલ સર્જાયો હતો. બાઈકનું પણ ટ્રકની ટક્કરથી કચ્ચરધાણ નીકળી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *