ભારત દેશ મોદી અને શાહના બાપની જાગીર નથી- દિગ્ગજ કોંગ્રેસી નેતા

લોકસભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીએ નાગરિકતા મામલે’ નવા કાયદા વિશે બોલતાં ભાન ભૂલી ગયા હતા. એક તબક્કે તેમણે જણાવ્યું કે ભારત દેશ મોદી કે શાહના બાપાની જાગીર નથી. ભાજપ પાર્ટી ભલે મને પાકિસ્તાની કહે છે. હું પણ કહું છું કે હું પાકિસ્તાની છું.

આજે આ દેશમાં કોઇ સાચી વાત કરી શકતું નથી. તમે જે કરવા ધારો છો એ કરો. પણ અમને પણ એવું કરવાની ફરજ પાડવામાં આવે છે જે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ ઇચ્છતા હોય. અમે એવું કરવા તૈયાર નથી કારણ કે આ દેશ મોદી કે શાહના બાપાની જાગીર નથી.

પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગણામાંથી ચૂંટાયેલા અધીર રંજન ચૌધરી ગમેતેમ બોલવા માટે ઓળખીતા છે. તેમણે જણાવ્યું કે મોદી અને શાહ પોતાના વિચારો અમારા પર ઠોકી બેસાડી શકે નહીં. આજે આ બંને સત્તા પર છે, કાલે નહીં પણ હોય. અમને એમના વિચારો સ્વીકાર્ય નથી. એ બંનેએ આ વાત સમજી લેવાની જરૂર છે. તમે તમારા વિચારો કોઇના પર બળજબરીથી ઠોકી બેસાડી શકો નહીં.

થોડા સમય પહેલા પણ રંજન ચૌધરી બેફામ બોલી ચૂક્યા છે. જમ્મુ કશ્મીરના એક શીખ પોલીસ અધિકારી દેવેન્દ્ર સિંઘ આતંકવાદીઓ સાથે ભળેલા હોવાની વિગત જાહેર થઇ ત્યારે ચૌધરી બોલ્યા હતા કે આ દેવેન્દ્ર સિંઘ દેવેન્દ્ર ખાન હોત તો આરએસએસના નેતાઓએ એના પર રીતસર માછલાં ધોયાં હોત.

પાછળથી હોબાળો થતાં કોંગ્રેસે આ વિધાન ચૌધરીનો અંગત મત છે, કોંગ્રેસ એની સાથે સંમત નથી એમ કહીને વાત વાળી લેવાના પ્રયાસો કર્યા હતા. આજે ફરી કોંગ્રેસના આ નેતાએ મોદી અને શાહને ઝાટક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *