પહેલગામ બાદ ગુજરાતને પણ હાઈ એલર્ટ, જોખમ જણાયા આ બાદ CMએ તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી

High alert on Gujarat: ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા થયેલા કાયર હુમલામાં 26 ભારતીય નાગરિકોના મોત થયા હતા. જમા ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. હાલમાં દેશના તમામ મોટા રાજ્યો અને શહેરો માટે જાહેર કરવામાં આવી રહ્યું છે. ભાગી (High alert on Gujarat) ચૂકેલા કાયર આતંકવાદીઓને પકડવા માટે સેના અને પોલીસ સતત કાર્યરત છે. સમગ્ર દેશમાં હાલમાં તણાવનો માહોલ છે. દેશવાસીઓમાં રોષની લાગણી છે. એવામાં ગુજરાતમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના તમામ મોટા મંદિરો, રેલવે સ્ટેશન તેમજ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, રાજકોટ, જામનગર સહિતના શહેરોની પોલીસ પણ અલર્ટ મોડમાં છે.

ગાંધીનગરમાં મળી ઉચ્ચસ્તરીય બેઠક
ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. નાગરિકોના મોત અને અલર્ટ જાહેર થયા બાદ તમામ અધિકારીઓને આ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના પ્રવક્તા એવા ઋષિકેશ પટેલ મુખ્યમંત્રી કાર્યાલયમાં જ હાજર છે. મુખ્ય સચિવથી લઈને રાહત કમિશનર સિવાય, રાજ્યના પોલીસ વડા પણ બેઠકમાં હાજર રહ્યા છે. આ ઉપરાંત તમામ શહેરોના કમિશનર અને જિલ્લાઓના એસપી પણ વિડિયો કોન્ફરન્સ દ્વારા મિટિંગમાં જોડાયા છે.

આજે આવશે ત્રણેય મૃત ગુજરાતીઓના મૃતદેહ
અહીંયા ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરથી ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહ પોતાના વતન લાવવા માટે અમદાવાદ ખાતે સૌપ્રથમ આવશે. જમ્મુ કાશ્મીરમાં અટવાયેલા ગુજરાતી પ્રવાસીઓને પાછા લાવવા માટે પણ બેઠકો શરૂ થઈ ચૂકી છે.

પહેલગામ બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના તમામ મોટા જાહેર સ્થળોએ સિક્યુરિટી વધારી દેવામાં આવી છે. અમદાવાદ સહિતના અન્ય મોટા શહેરો અને મહાનગરોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. સ્ટેટ આઈબી પણ ખૂબ જ એક્ટિવ થઈ ગઈ છે. આ ઉપરાંત નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિ કે વસ્તુ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક પોલીસને તેની જાણ કરવામાં આવે. આ હુમલા ને પગલે પોલીસ દ્વારા સતર્ક રહેવાની સૂચના પણ આપવામાં આવી છે.