આ મહિનામાં થશે આલિયા-રણબીરના લગ્ન- ફિક્સ થયું લગ્ન સ્થળ, જ્યાં ઋષિ-નીતુએ 7 ફેરા લીધા હતા ત્યાં જ…

રણબીર કપૂર(Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ(Alia Bhatt) એ બોલિવૂડ (Bollywood)નું કપલ(Couple) છે, જેમના લગ્ન (Marriage)ની આતુરતાથી માત્ર ચાહકો જ નહીં પરંતુ બંનેના પરિવારો અને તેમના…

રણબીર કપૂર(Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ(Alia Bhatt) એ બોલિવૂડ (Bollywood)નું કપલ(Couple) છે, જેમના લગ્ન (Marriage)ની આતુરતાથી માત્ર ચાહકો જ નહીં પરંતુ બંનેના પરિવારો અને તેમના મિત્રો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લગ્ન એપ્રિલ (April)માં થશે કે ડિસેમ્બર(December), તેના વિશે ચાહકોમાં ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ હવે રણબીર-આલિયાના લગ્ન (Ranbir-Alia’s wedding)નું લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે. અહેવાલ છે કે બંને એપ્રિલમાં એટલે કે આ મહિને લગ્ન કરવાના છે.

હવે માત્ર થોડા જ સમયમાં બંને મિત્રતાના સંબંધને પતિ-પત્નીના સંબંધમાં પરિવર્તિત કરવા જઈ રહ્યા છે. બંને સેલેબ્સ તેમના અંગત જીવનને લાઈમલાઈટથી દૂર રાખે છે, તેથી બંને તેમના લગ્નમાં પસંદગીના લોકોને આમંત્રિત કરવાના છે અને બંનેએ તેમના લગ્ન માટેનું સ્થળ પણ ફાઈનલ કર્યું છે. હાલમાં તો બોલિવૂડમાં ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે પાવર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર મુંબઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જે દિવસે રણબીરે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો, તે જ દિવસે તેણે પોતાના લગ્નનું સ્થળ ફાઈનલ કર્યું હોવાનું કહેવાય છે.

આલિયા અને રણબીર RK હાઉસમાં 7 ફેરા લેશે :
પિંકવિલાના એક રિપોર્ટ અનુસાર, બંનેએ મુંબઈની કોઈ 5 કે 7 સ્ટાર હોટેલમાં નહીં પરંતુ તેમના પૈતૃક ઘરને પસંદ કર્યું છે. આલિયા અને રણબીર 7 ફેરા લેશે જ્યાં તેમના માતાપિતા એટલે કે ઋષિ કપૂર અને નીતુ કપૂરે વર્ષો પહેલા લીધા હતા. લગ્નનું આ સ્થળ રણબીરે પોતે ફાઈનલ કર્યું છે.

450 ગેસ્ટ લિસ્ટ તૈયાર છે :
મળતી માહિતી અનુસાર, રણબીર કપૂર તેની દાદી કૃષ્ણા રાજ કપૂરની ખૂબ નજીક હતો. ઋષિ કપૂર અને નીતુ કપૂરના લગ્ન 20 જાન્યુઆરી 1980ના રોજ RK હાઉસમાં થયા હતા. આથી રણબીર પણ ચેમ્બુરમાં તેની પ્રેમિકા સાથે લગ્ન કરવા માંગે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્નમાં 450 મહેમાનોની યાદી તૈયાર કરવામાં આવી છે. બંનેની વેડિંગ સ્કવોડ વેડિંગ પ્લાનર્સ સંભાળશે.

લગ્ન એપ્રિલના બીજા સપ્તાહમાં થશે! :
લગ્નમાં હાજરી આપવા માટે નજીકના લોકોને એપ્રિલના બીજા અઠવાડિયાથી પોતાને ફ્રી રાખવા માટેની જાણ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આલિયા ભટ્ટના દાદા નરેન્દ્ર નાથ રાઝદાનના કારણે આ લગ્ન જલ્દી કરવામાં આવી રહ્યા છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર છે. તેથી ભટ્ટ પરિવાર વહેલામાં વહેલી તકે લગ્ન કરવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *