અફઘાનિસ્તાનમાં 6500 પાકિસ્તાની આતંકવાદીઓ, યુએનના રીપોર્ટમાં થયો ખુલાસો

પાકિસ્તાનમાં આવતા આતંકવાદીઓ અંગે યુએનના રિપોર્ટમાં સનસનાટી મચી ગઈ છે. યુએનના રિપોર્ટ અનુસાર પાડોશી અફઘાનિસ્તાનમાં લગભગ 6,000- 6,500 પાકિસ્તાની આતંકીઓ હાજર છે. રિપોર્ટ અનુસાર, આતંકીઓમાં મોટાભાગના તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સાથે છે જે બંને દેશો માટે જોખમ છે.

ભારતીય ઉપખંડમાં આતંકવાદ સંબંધિત સર્વેલન્સ ટીમના 26 મા અહેવાલમાં જણાવાયું છે કે, આઈએસઆઈએસ, અલ-કાયદા આતંકવાદી જૂથ અલ-કાયદા નિમરોઝ, હેલમાનંદ અને કંદહાર પ્રાંતમાં તાલિબાન હેઠળ કાર્યરત છે.

રિપોર્ટ અનુસાર આ ખતરનાક આતંકવાદી જૂથમાં બાંગ્લાદેશ, ભારત, મ્યાનમાર અને પાકિસ્તાનના 150 થી 200 સભ્યો છે. એક્યુઆઈએસનું હાલનું નેતૃત્વ ઓસામા મહેમૂદના હાથમાં છે, જેમણે અસીમ ઓમરની જગ્યા લીધી છે. રિપોર્ટના દાવા મુજબ, એક્યુઆઈએસ તેના પૂર્વ નેતાની મૃત્યુનો બદલો લેવા માટે વિસ્તારમાં બદલો લેવાની યોજના બનાવી રહ્યો છે.

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની આતંકવાદી લડવૈયાઓની કુલ સંખ્યા 6,000 થી 6,500 ની વચ્ચે હોવાનો અંદાજ છે, તેમાંથી મોટાભાગના તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) સાથે છે.

રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં અન્ય ઘણા આતંકવાદી જૂથો સક્રિય છે. મોટાભાગના તાલિબાનોની છત્ર હેઠળ કામ કરે છે, પરંતુ કેટલાક ISIL સાથે જોડાણમાં કામ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *