પ્રમુખસ્વામી નગરના દર્શનાર્થે પહોંચ્યા અલ્પા પટેલ- બાળનગરીના વખાણ કરતા કહ્યું કે, બાળકોના માતા-પિતાને…

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવા માટે ખૂબ જ મોટા સ્કેલ પર આયોજન કરવામાં આવ્યું છે અને જેનું મેનેજમેન્ટ વર્લ્ડ ફેમસ છે એવી BAPS સંસ્થા દ્વારા 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરીના 1 મહિના સુધી આ મહોત્સવનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પ્રમુખ સ્વામી નગરના દર્શનાર્થે લોકગાયિકા અલ્પા પટેલ(Alpa Patel) આવ્યા હતા.

મહત્વનું છે કે, અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે લોક ગાયિકા અલ્પા પટેલ દર્શનાર્થે આવ્યા હતા.

આ મહોત્સવનો લાભ લઈને અલ્પા પટેલે જણાવતા કહ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની યાત્રા ચારધામની જાત્રા જેવી રહી. ખુબ સારા વિચારો હ્રદય સુધી પહોચ્યા છે એની ખુશી છે એથી વિશેષ મહંત સ્વામી બાપાના દર્શનનો લ્હાવો મળ્યો. હરી ભકતો એ ખુબ મહેનત કરી છે પોતાના તન મન ધનથી સેવા કરી રહ્યા છે.

વધુમાં ઉમેરતા તેમણે કહ્યું હતું કે, બાળ નગરીની વાત જ અનોખી છે હું તમામ બાળકોના માતા-પિતાને ધન્યવાદ આપુ છું જેમણે બાળકોને અહીં સુધી પહોચાડ્યા છે. બાળકોનો અભિનય એમના પોષાક જોઈને જ હું વિચારોમાં પડી ગઈ અદભુત ! અદભુત !

બાપાની વાંસ માથી બનાવેલી મૂર્તી જોઈએ તો એમ લાગે બાપા હમણા જ બોલશે. ભજનથી ભોજન સુધીની વ્યવસ્થા અને સ્વછતા પણ એટલી. શબ્દોથી તો હું કહીશ તો બહું ઓછુ લાગશે પણ એટલુ કહીશ જીવન ધન્ય થઈ ગયું બાપાના પવિત્ર વિચારો આપણા જીવનમાં ઉતારીએ અને સારું જીવન જીવીએ. અને આ ઉત્સવનો લ્હાવો આપ બધા અચૂકથી લેજો.

મને અને મારા પરીવારને આ દર્શનનો લ્હાવો મળ્યો એના માટે હું મારા ભાઇ વિપુલભાઈ(વીરપુર) નો ખુબ ખુબ આભાર વ્યકત કરું છું. બાપાના ચરણોમાં કોટી કોટી પ્રણામ. સૌ હરીભક્તોને મારા જય શ્રીસ્વામીનારાયણ.

અમે તમને જણાવી દઈએ કે,વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા 160 કરતાંય વધુ પ્રવૃતિઓથી પ્રત્યેક માનવના સર્વતોમુખી ઉત્કર્ષ માટે અભૂતપૂર્વ આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાઓની ભાગીરથી વહાવી રહી છે. નૈતિક મૂલ્યોનું પ્રસારણ હોય, વ્યસનમુક્તિ હોય, પર્યાવરણ સંરક્ષણ હોય કે આદિવાસી ઉત્થાન હોય, પ્રમુખસ્વામી મહારાજની કરુણા પ્રત્યેક વર્ણ-વય, જ્ઞાતિ-જાતિ, દેશ-વેશ અને ધર્મ-કર્મની વ્યક્તિઓ પર વરસી છે.

અમે તમને જણાવી દઈએ કે, 1200 કરતાં વધુ મંદિરોના સર્જનથી, 5000 થી વધુ સત્સંગ કેન્દ્રો દ્વારા, 100 થી અધિક શાળાઓ અને હૉસ્પિટલોના નિર્માણથી પ્રમુખસ્વામી મહારાજે વિશ્વનું કલ્યાણ કર્યું છે. પવિત્રતાથી પરિપૂર્ણ એવા પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત 1100 કરતાં વધુ સંતો, 7,050,00 કરતાં વધુ લખાયેલાં પત્રો, 17,000 થી વધુ ગામોમાં કરાયેલા વિચરણ અને 2,050,00 કરતાં વધુ ઘરોમાં પધરામણી દ્વારા તેમણે લાખો મનુષ્યોનું જીવન ધન્ય કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *