અમેરિકાએ કહ્યું કપરા સમયમાં ગીતામાંથી મળે છે શાંતિ અને તાકાત

અમેરિકાની સર્વપ્રથમ હિન્દુ સાંસદ તુલસીએ કહ્યું છે કે મુશ્કેલીના સમયમાં માણસ ભગવદ ગીતામાંથી શાંતિ અને તાકાત મેળવી શકે છે. હિન્દુ વિદ્યાર્થીઓ માટે 2020નો વર્ગ નામના…

અમેરિકાની સર્વપ્રથમ હિન્દુ સાંસદ તુલસીએ કહ્યું છે કે મુશ્કેલીના સમયમાં માણસ ભગવદ ગીતામાંથી શાંતિ અને તાકાત મેળવી શકે છે. હિન્દુ વિદ્યાર્થીઓ માટે 2020નો વર્ગ નામના એક કાર્યક્રમમાં ભાગ લેતા તુલસીએ આ વાત કરી હતી.

અમેરિકાના હવાઈથી સાંસદ તુલસીએ કહ્યું કે આ સમયે અવ્યવસ્થાનો માહોલ છે. કોઈ ચોક્કસપણે નથી કહી શકતું કે કાલનો દિવસ કેવો હશે. પરંતુ ભગવતગીતા દ્વારા કૃષ્ણની ભક્તિ યોગ અને કર્મયોગની પ્રેક્ટિસથી આપણે શાંતિ અને તાકાત મેળવી શકીએ છીએ. તુલસીએ આ વાત તેવા સમયે કહી છે જ્યારે અમેરિકામાં પક્ષના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યા છે. સાથે જ અમેરિકા સહિત ઘણા દેશો કોરોનાવાયરસની ઝપેટમાં છે.

હિન્દુ સ્ટુડન્ટ કાઉન્સિલિંગ તરફથી વર્ચ્યુઅલ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો. ફેસબુક અને યુટ્યુબ લાઈવ દ્વારા હજારો લોકો તેમાં ભળ્યા હતા. આ કાર્યક્રમમાં અમેરિકા, કેનેડા, ભારત અને ઓસ્ટ્રેલિયાથી સેંકડો ગ્રેજ્યુએટ યુવાનોએ ભાગ લીધો હતો. તુલસીએ યુવાનોને જણાવતા કહ્યું કે તમે તમારા જીવનમાં કઈ નવી શરૂઆત કરવા જઈ રહ્યા હોવ ત્યારે પોતાની જાતને પુછજો કે તમારા જીવનનું લક્ષ્ય શું છે?

તુલસીએ યુવાનોને કહ્યું કે પોતાના જીવનમાં ગમે ત્યારે તમે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા હોવ ત્યારે પોતાની જાતને પુછ્યું કે તમારા જીવનનું લક્ષ્ય શું છે? જો તમે તે સમજી શકો છો કે તમારા જીવનનું લક્ષ્ય ભગવાન અને ભગવાનના લોકોની સેવા કરવાનું છે તો તમે સારી જીંદગી જીવી શકો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *