અમિત શાહે મમતા બેનર્જી પર લગાવ્યો આડોડાઈનો આરોપ- બંગાળીઓને પરત લેવા ટ્રેન નથી ચાલવા દેવાતી

પ્રવાસી મજૂરોને લઈને પશ્ચિમ બંગાળ સરકાર અને કેન્દ્ર સરકાર ફરી આમને-સામને આવી ગયા છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી ને પત્ર લખી પ્રવાસી મજૂરો માટે ચલાવવામાં આવતી શ્રમિક ટ્રેનને મંજૂર નહીં કરવાનો મોટો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે રાજ્યના પ્રવાસે શ્રમિકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.

શાહે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર પ્રવાસી મજૂરોને લઈને જનારી ટ્રેન ને રાજ્યમાં પહોંચવાની અનુમતિ નથી આપી રહી. જેનાથી આવનારા  સમય માટે મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે.દેશના અલગ-અલગ ભાગો માંથી જનાર સ્થળો પર પ્રવાસી મજૂરોને લઈ જવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેનો સંદર્ભ આપતા ગૃહમંત્રીએ કહ્યું કે કેન્દ્ર લાખથી વધારે પ્રવાસીઓ મજૂરોને ઘરે મોકલવાની સુવિધા આપી છે.

અમિત શાહે લખ્યું કે પશ્ચિમ બંગાળના પ્રવાસે શ્રમિકો પણ ઘરે પહોંચવા માટે બેચેન છે અને કેન્દ્ર સરકાર ટ્રેનની સેવાઓની સુવિધા પણ આપી રહી છે. પરંતુ અમને રાજ્ય સરકાર તરફથી આશા અનુસાર સહયોગ નથી મળી રહ્યો. અહીંયા સરકાર અને પશ્ચિમ બંગાળ પહોંચવાની પરવાનગી નથી આપી રહી. આ પશ્ચિમ બંગાળના પ્રવાસે મજૂરો સાથે અન્યાય છે. આ તેના માટે વધારે મુશ્કેલીઓ ઊભી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *