ડબલ ઢોલકી ‘દેવાયત’ નો વધુ એક વિડીયો વાયરલ- મુસ્લિમ લોકો માટે જુઓ શું કહ્યું…

ગુજરાત(Gujarat): વિવાદમાં ફસાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડ(Devayat Khavad) છેલ્લા 8 દિવસથી પોલીસ પકડથી દૂર છે. ત્યારે ‘રાણો રાણાની રીતે’ કહેનાર દેવાયત ખવાડ ક્યાં ફરાર થઇ ગયો છે તે અંગેની જાણ હજુ સુધી પોલીસને મળી નથી. અમે તમને જણાવી દઇએ કે, થોડાક દિવસો પહેલા રાજકોટમાં દેવાયત ખવડે પોતાના સાથીદાર મિત્ર સાથે જાહેરમાં એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યાર બાદથી દેવાયત ખવડ અને પોતાનો સાથી મિત્ર પોલીસ પક્કડથી હજુ પણ દૂર છે. ત્યારે આ બધા વચ્ચે દેવાયત ખવડનો વધુ એક વિડીયો વાયરલ(Viral video) થયો છે. તો ચાલો જાણીએ શું છે આ વિડીયોમાં…

સલમાન ખાન ની ફિલ્મ🎥🎬👀 તમારે જોવા ની નય હું ઈદ મુબારક આપી શ | ખડખડાટ & મોજ હાસ્ય કલાકાર ડાયરો | ખડખડાટ & મોજ હાસ્ય કલાકાર ડાયરો · Original audio

412K views, 8.5K likes, 248 comments, 121 shares, Facebook Reels from ખડખડાટ & મોજ હાસ્ય કલાકાર ડાયરો: સલમાન ખાન ની ફિલ્મ🎥🎬👀 તમારે જોવા ની નય હું ઈદ મુબારક આપી શ. ખડખડાટ & મોજ હાસ્ય કલાકાર ડાયરો…

જાણો શું છે વાયરલ વિડીયોમાં:
હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો દેવાયતના વિડીયોમાં તે કહી રહ્યો છે કે, હું તો એમ કહું છું કે, આપણે મૂર્ખા હોવી તો સલમાન ખાન અને શારુખાનના ફિલ્મ જોઈએ. આમ પણ સાઉથ વાળાએ બધાની બોલતી બંધ કરી જ દીધી છે, કે ‘જુકેંગા નહિ સાલા’. સાથે આ વિડીયોમાં અન્ય એક વિડીયો પણ છે તેમાં દેવાયત ખવાડ કહી રહ્યો છે કે, નમસ્કાર મિત્રો, હું છું દેવાયત ખવાડ અને આજનો આ દિવસ એટલે તો આજે મારા મુસ્લિમ ભાઈઓને મારા તરફથી ઈદ મુબારક અને આ ઈદ મુબારક એટલે એક એવો દિવસ છે, કે અલ્હાની રાહ માટે, અલ્હાના રસ્તે હાલવા માટે, જે પોતાના દીકરાની પણ કુરબાની દેવા માટે તૈયાર થઇ ગયા, એને યાદ કરવાનો આ દિવસ છે, તેથી હદયના ભાવથી મુસ્લિમ ભાઈઓને મારા તરફથી ઈદ મુબારક.

આ વાયરલ વિડીયો પરથી લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે કે, પહેલા દેવાયત સલમાન ખાન અને શારુખાનના ફિલ્મ જોવાની ના કહી રહ્યો છે અને પાછો પોતે જ મુસ્લિમ ભાઈઓને ઈદ મુબારક કહી રહ્યો છે. સાથે કેટલાય લોકોનું કહેવું છે કે, દેવાયત ડબલ ઢોલકી છે, કારણ કે, પહેલા વિરોધ કરે અને બાદમાં તે જ ઈદ મુબારક કહે છે. ત્રિશુલ ન્યુઝ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી.

દેવાયત ખવડનો મામલો પહોચ્યો PMO:
હવે મયુરસિંહ રાણાના પરિવારે હુમલા અંગેની વાત છે કે, PMO સુધી પહોંચાડી દીધા મામલો વધુ ગરમાયો છે. PMO સુધી મયુરસિંહ રાણાના પરિવાર દ્વારા આ ઘટના અંગેની રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે. અમે તમને જણાવી દઇએ કે, થોડાક દિવસો પહેલા રાજકોટમાં દેવાયત ખવડે પોતાના સાથીદાર મિત્ર સાથે જાહેરમાં એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યાર બાદથી દેવાયત ખવડ અને પોતાનો સાથી મિત્ર પોલીસ પક્કડથી હજુ પણ દૂર છે. ગઈકાલે આ અંગે ક્ષત્રિય સમાજ દ્વારા પણ આ અંગે પોલીસમાં રજૂઆત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *