મધરાતે સુરતના એમ્બ્રોડરીના ખાતામાં લાગી આગ, ફાયર વિભાગે ફસાયેલા 12 લોકોને એક કલાક રેસ્ક્યુ ઓપરેશન કરી બચાવ્યા

સુરત(ગુજરાત): સુરતમાં મઘ્ય રાત્રે અશ્વનિકુમાર ફુલપાડા રોડ ઉપર આવેલી નિર્માણ ઇન્ડસ્ટ્રીના એક એમ્બ્રોડરીના ખાતામાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ કરી 12 જેટલા કારીગરોને લેડરની મદદથી નીચે ઉતાર્યા હતા. મધરાત્રે બનેલી આ ઘટનામાં કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનના અધિકારીઓની ટીમની પ્રશંસનીય કામગીરીને લઈ લોકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. ગ્રાઉન્ડ ફ્લોરમાં લાગેલી આગ બીજા અને ત્રીજા માળ સુધી પ્રસરે એ પહેલાં તમામનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, રાત્રે 12 વાગ્યાએ કોલ આવ્યો હતો. અશ્વનિકુમાર ફુલપાડા રોડ ઉપર આવેલી નિર્માણ ઇન્ડસ્ટ્રીના એક એમ્બ્રોડરીના ખાતાના ગ્રાઉન્ડ ફ્લોરમાં શોર્ટ સર્કિટને થતા આગ લાગી હતી. આગ લગતા જ ભાગદોડ મચી ગઇ હતી. ઘટનાની જાણ પછી કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનના અધિકારીઓ ટીમ સાથે ઘટના સ્થળે પહોચ્યાં હતા. આગ પર કાબૂ મેળવી 12 કારીગરોને બહાર કાઢવા રેસ્ક્યુ કર્યું હતું.

મળતી માહિતી અનુસાર, આગ સાડી પોલીસના મશીનમાં શોર્ટ સર્કિટ થવાથી લાગી હતી. વોચમેન અને એની પત્ની ઘટના બાદ બહાર દોડી ગયા હતા. જ્યારે બીજા અને ત્રીજા માળે રહેતા ઓરિસ્સાવાસી કારીગરો આગ બાદ ધુમાડામાં ગુંગળાય એ પહેલાં જ લેડરની મદદથી તમામને સલામતીના ભાગ રૂપે નીચે ઉતારવામાં આવ્યા હતા. લગભગ એક કલાક ચાલેલા રેસ્ક્યુમાં કોઈ જાનહાની નોંધાય નથી. જોકે સાડીના રોલ સળગી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *