દશેરામાં પૂજન વિધિનું શુભ મુહૂર્ત… આજના દિવસે ભૂલથી પણ નહિ કરતા આ ભૂલ

દશેરા (Dussehra)ને વિજયાદશમી(Vijayadashami), આયુધ પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, દશેરાનો આ પવિત્ર તહેવાર દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દસમી તિથીએ ઉજવવામાં આવે છે. આ તહેવાર અસત્ય પર સત્યની જીત તરીકે ઉજવવામાં આવે છે. દેશભરમાં આજે એટલે કે 5 ઓક્ટોબર, બુધવારે દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે દેશભરમાં શસ્ત્ર પૂજન થશે અને રાવણ દહન પણ થશે. વિજયાદશમીના દિવસે પૂજા અને રાવણ દહન માત્ર શુભ મુહૂર્તમાં જ કરવું જોઈએ. આજે પૂજા માટે કયો શુભ સમય છે? જાણો…

પૂજન અને રાવણ દહન માટેનો શુભ સમય:
જ્યોતિષોના જણાવ્યા અનુસાર, દશમી તિથિ 4 ઓક્ટોબરે બપોરે 2.20 વાગ્યે શરૂ થશે, જે 5 ઓક્ટોબર સુધી બપોરે 12 વાગ્યા સુધી ચાલશે. વિજયાદશમી પૂજાનો શુભ સમય સવારે 7.44 થી 9.13 અને ત્યારબાદ સવારે 10.41 થી બપોરે 2.09 સુધીનો રહેશે. બીજી તરફ, દશેરા પર વિજય મુહૂર્ત બપોરે 02:07 થી શરૂ થશે, જે 02:54 AM પર સમાપ્ત થશે એટલે કે 47 મિનિટ ઉપલબ્ધ થશે.

આ મુહૂર્તમાં કોઈ પણ શુભ કાર્ય ન કરવું:
દશેરાના દિવસે રાહુ કાલ, યમગંડ, ગુલિક કાલ અને દુર્મુહુર્તા પણ છે. જેમાં કોઈ પણ શુભ કાર્ય કરવાથી બચવું જોઈએ. તેથી, નીચે જણાવેલ સમયમાં શુભ કાર્ય કરવાનું ટાળો.
રાહુકાલ- 12:09 PM થી 01:38 PM
યમગંડ- 07:44 AM થી 09:13 PM
ગુલિક કાલ- 10:41 AM થી 12:09 PM
દુર્મુહૂર્ત- 11:46 AM થી 12:33 PM

દશેરાનું મહત્વ:
સીતાના અપહરણ પછી, રાવણ અને ભગવાન શ્રી રામ વચ્ચેનું આ યુદ્ધ દસ દિવસ સુધી ચાલ્યું. અંતે, અશ્વિન શુક્લ દશમી તિથિએ, ભગવાન રામે માતા દુર્ગા પાસેથી મળેલા દિવ્યશાસ્ત્રની મદદથી ઘમંડી રાવણનો અંત કર્યો. રાવણના મૃત્યુને અસત્ય પર સત્ય અને ન્યાયની જીતની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન રામે રાવણ પર વિજય મેળવ્યો હતો, તેથી આ દિવસને વિજયા દશમી કહેવામાં આવે છે.

આ દિવસે મા દુર્ગાએ મહિષાસુરનો પણ વધ કર્યો હતો. મહિષાસુર નામના આ રાક્ષસે ત્રણે લોકમાં હંગામો મચાવ્યો. ત્યારે પણ જ્યારે દેવતાઓ આ રાક્ષસથી પરેશાન હતા. દેવતાઓ અને સમગ્ર વિશ્વને મહિષાસુરથી મુક્ત કરવા માટે દેવીએ અશ્વિન શુક્લ દશમીના રોજ મહિષાસુરનો વધ કર્યો હતો. દેવીના વિજયથી પ્રસન્ન થઈને દેવતાઓએ વિજયા દેવીની પૂજા કરી અને ત્યારથી આ દિવસને વિજયા દશમી કહેવામાં આવે છે. આ સાથે આ દિવસે શસ્ત્રોની પણ પૂજા કરવામાં આવે છે. ભારતીય સેના પણ આ દિવસે શસ્ત્રોની પૂજા કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *