ગુજરાતના આ જીલ્લામાં મામો બન્યો કંસ: ભાણકીને ખાટલા સાથે બાંધી અનેકવાર આચર્યું દુષ્કર્મ

આજકાલ બળાત્કાર તેમજ માનસિક ત્રાસની ઘટનાઓમાં ઘણો વધારો જોવા મળ્યો છે. મહિલાઓ સતત હવસખોરોનો શિકાર બનતી રહે છે. આ દરમિયાન ભાવનગર તળાજાના દાઠા પોલીસ મથકમાં દયાળ ગામના ઈસમ વિરુદ્ધ સગીરા સાથે બે વખત દુષ્કર્મ આચર્યાંની ફરિયાદ નોંધાઈ છે.

જાણવા મળ્યું છે કે, બળાત્કારી ઈસમ સગીરાનો કૌટુંબિક મામો થતો હોવાનું પોલીસ તપાસમાં ખુલતાં પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. દાઠા પોલિસ મથકમાં સગીરાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું કે, દયાળ ગામે રહેતાં અને સંબંધમાં કૌટુંબિક મામા ભાવેશ ચૌહાણે ફરિયાદી સગીરાને અમરેલી વિસ્તારમાં ખેતમજૂરી કામે લઈ જઈ વાડીમાં મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.

આ દરમિયાન મામાએ સગીરાને કોઈને કહીશ તો કુંવામાં ફેંકી દઈશ તેવી ધમકી પણ આપી હતી. ત્યારબાદ ગઈકાલે સગીરા એકલી ક્યાંક જઈ રહી હતી તે સમયે મામાએ ઓરડીમાં લઇ જઇ ખાટલા સાથે બાંધી દીધી અને બીજી વખત દૂષ્કર્મ આચર્યું હતું.

એ સમયે સગીરાએ બૂમાબૂમ કરી હતી અને તેના વાલી સહિત ઘણા લોકો ત્યાં આવી ગયા હતા. બનાવને લઈ તળાજા સર્કલ પો.ઇ.રાઠવા દ્વારા મામા ભાવેશ ચૌહાણની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *