લોકડાઉન ભંગના જેની વિરુદ્ધ ગુના નોંધાયા છે તેમના માટે મોટા સમાચાર, સરકાર ઉઠાવી રહી છે આ પગલું

ગુજરાતમાં 24 માર્ચ થી કોરોના મહામારી ને લીધે લાગેલા લોકડાઉન બાદ લોકડાઉન ભંગ કરતા લોકો વિરુદ્ધ પોલીસે અન્ય ગુનાઓ નોંધાયા હતા. અને ગુજરાત પોલીસ અધિક્ષકે જાહેરાત કરી હતી કે, આ ગુનેગારોને છોડવામાં નહીં આવે અને બે વર્ષ સુધી ની જેલ પણ થઇ શકે છે. પરંતુ હવે ગુજરાતમાં 24 માર્ચ થી ૩૧મીએ દરમ્યાન લોકડાઉન ભાગના સામાન્ય ગુનાઓના કેસ પરત ખેંચવા માટે સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર, જૂન મહિનાના અંત સુધીમાં વિવિધ પ્રકારના કેસોની સ્થિતિને આધારે નિર્ણય કરવા સરકાર કામગીરી કરી રહી છે. લોકડાઉન દરમિયાન ગુજરાતમાં ૧.૭૫ લાખથી વધુ કેસ નોંધવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના કેસ લોકડાઉન ભંગ કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ નોંધાયા છે. અને આ ગુનો કરનાર ની સંખ્યા પણ બહુ મોટી છે.

પોલીસ દ્વારા ડ્રોન ઉડાવીને રસ્તા પર વાહન લઇને નીકળેલા સામાન્ય નાગરિકો શહીદ વતન જઈ રહેલા શ્રમજીવીઓ ગુનાઓ નોંધાયા હતા પરંતુ હવે સરકાર આ કેસ ની જાણકારી ભેગી કરી રહી છે અને ગુનાની ગંભીરતાને આધારે કેસ પરત ખેંચવાની તૈયારી પણ કરી રહી છે જોકે ગુનાહિત ઈતિહાસ ધરાવનાર ગુનેગારો પોલીસ અને ડોક્ટરોની ટીમ પર હુમલો કરનાર લોકોને કોઈ જ રાહત મળશે નહીં તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

મોટી સંખ્યામાં કેસ નોંધાયેલા હોવાથી સામાન્ય કહી શકાય તેવા આ કેસ પરત ખેંચવાથી પોલીસ કોર્ટ અને નાગરિકો નો સમય સાથે સાથે સરકારી ખાતાને અને કોર્ટને પેપરવર્ક માંથી મુક્તિ મળશે અને ખર્ચ બચશે. ઉલ્લેખનીય છે કે સિનિયર સિટીઝનથી માંડીને યુવાનો મોર્નિંગવોક પર નીકળ્યા હોય અથવા શાકભાજી લેવાના બહાને રખડવા નીકળ્યા હોય એવા લોકો સામે વધુ કેસ નોંધાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *