તાઉતે વાવાઝોડામાં ચોટીલા ધામેમાં ચામુંડાએ આપ્યો સાક્ષાત ચમત્કાર

ભારત દેશમાં કેટલાય દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. ત્યારે કેટલાય એવા મંદિરો છે જેમાં કેટલાય સમયથી દેવી-દેવતાઓના ચમત્કારો થતા જ રહે છે. ત્યારે હાલમાં જ જો વાત કરીએ તો ચોટીલાવાળા માં ચામુંડાની વાત કરીએ તો હમણાં જ રાજકોટ નજીક આવેલ છે. અહી એક ડુંગર પર બિરાજમાન છે. માં ચામુંડા અહિયાં આવતા તમામ ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરે છે.

આ ચોટીલા ધામમાં ચામુંડા માં ઘણી વખત સાક્ષાત ચમત્કાર આપતા રહે છે. જયારે હમણાં જ થોડા દીવ પહેલા તાઉતે વાવાઝોડું આવીને ગયું હતું. ત્યારે તેને કારણે સૌરાષ્ટ્રમાં તેમનો પ્રકોપ જોવા મળ્યો હતો. ત્યારે બીજા અન્ય કેટલાય સ્થળે નુકસાન થયું છે. સૌરાષ્ટ્રના ઘણા ખરા ગામોમાં કેટલાક મકાનો, વીજળીના થાંભલા, ખેતીના પાકો અને ઝાડને પણ નુકસાન થયું હતું.

ત્યારે આ વાવાઝોડાને કારણે ચોટીલા ધામમાં જરીક પણ અસર થઇ નહોતી અને ત્યાં કોઈ મિલકતને પણ નુકસાન થયું નહોતું. અહિયાં માં ચામુડાના ચમત્કારને કારણે બધું જ બરોબર હતું. અહિયાં માં ચામુંડાએ સાક્ષાત ચમત્કાર કરતા અહિયાં મંદિરની એક ધજાને પણ નુકસાન થયું નહોતું, જયારે વાવાઝોડાને કારણે થાંભલાઓ અને ઝાડ જમીનમાંથી ઉખડી જતા હોય છે.

આ વાવાઝોડાને કારણે પશુઓ અને પક્ષીઓ માતાના મંદિરમાં આવી ગયા હતા અને તેમને પણ કઈ થયું નહોતું માં ચામુંડા આવી જ રીતે સાક્ષાત ચમત્કાર અને પરચા આપતા જ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *