સામૂહિક સમર્પણ, એકબીજાની પ્રગતિમાં સહભાગી થવાનો સંકલ્પ એટલે તળાવીયા પરિવાર સ્નેહમિલન સમારોહ

Surat Talaviya family get to gather: તળાવિયા પરિવાર,સુરત દ્વારા આયોજન કરાયેલ 9મું સ્નેહમિલન સમારોહ હર્ષ અને ઉમંગથી ઉત્સવની જેમ પેરેડાઈઝ ફાર્મ પાસોદરા સુરત ખાતે (Surat Talaviya family get to gather) ઉજવાયો હતો. પરિવારના એકતાના પવિત્ર મંચ પર સમગ્ર સુરતમાંથી સભ્યોનો ઉત્સાહપૂર્ણ ઉપસ્થિતિ જોવા મળી. આ પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓ, સાહિત્ય વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા.

વિશેષ કાર્યક્રમો:
•ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ માટે ખાસ સન્માન સમારોહ – જેમણે પોતાના શૈક્ષણિક ક્ષેત્રે પ્રથમ ત્રણ સ્થાને સ્થાન મેળવ્યું હતું તેમનો સન્માનપત્ર અને ભેટ આપીને ઉત્સાહવર્ધન કરાયું.
•પરિવારના તમામ બાળકો માટે નોટબુક-ચોપડા વિતરણ થયું અને આર્થિક રીતે પછાત પરિવારના વિદ્યાર્થીઓ માટે પાઠ્ય પુસ્તક વિતરણ કાર્યક્રમ યોજાયો.
•રાત્રિ સમયે સૌને માણવા લાયક રાસ ગરબા સંગ સ્વાદિષ્ટ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

તળાવીયા પરિવાર દ્વારા પરિવારમાં એકતા, સ્નેહ અને પરસ્પર સન્માનની ભાવનાને મજબૂત બનાવતા નવમાં સ્નેહ મિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પરિવારના તમામ વર્ગના સભ્યોની સક્રિય હાજરી રહી અને પ્રસંગને યાદગાર બનાવ્યો. આ અવસરે પરિવારના તેજસ્વી તારલાઓને તેમના શૈક્ષણિક તથા સામાજિક યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા. સાથે જ તળાવીયા પરિવારના “પરિવાર રત્નો” જેમણે વિવિધ ક્ષેત્રોમાં મહાન યોગદાન આપ્યું છે, તેમનું પણ ઉલ્લેખનીય સન્માન થયું.

પ્રતિષ્ઠિત સંતો-મહંતો, વિવિધ શાખાના અધિકારીઓ તથા રાજસ્વી મહાનુભાવોનું શુભ હાજરી માટે પરિવાર દ્વારા સન્માન કરી અભાર વ્યક્ત કરવામાં આવ્યો. કાર્યક્રમની વિશેષતા તરીકે “અંગદાન જાગૃતિ અભિયાન” અંતર્ગત તમામ પરિવારજનોને અંગદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા તથા સંપૂર્ણ પરિવાર પાસેથી શપથ લેવડાવાઈ કે જરૂર પડ્યે તેઓ અંગદાન માટે આગળ આવશે. એક અલૌકિક ક્ષણ એ હતી કે 1મી જૂનના દિવસે પરિવારના અનેક વડીલ સભ્યોનો જન્મદિવસ હોવાથી સૌનો સામુહિક જન્મદિનની ઉજવણી ખુશનુંમય વાતાવરણમાં કેક કટિંગ દ્વારા કરવામાં આવી, જે તમામ માટે અનન્ય અને ભાવનાત્મક ક્ષણ રહી. આ શુભ અવસરે વક્તા મનીષભાઈ વઘાસિયાએ “પરિવારોત્સવ અને સંસ્કાર” વિષય પર ઊંડું પ્રવચન આપ્યું અને સ્નેહ મિલનના મૂળમંત્રને ઉજાગર કર્યો

વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિથી સમારોહને ભવ્યતા મળી:
પૂ. શેરનાથજી બાપુ,ભવનાથ તળેટી, જુનાગઢ દક્ષેશભાઈ માવાણી-મેયર સુરત, ભરતભાઈ સુતરિયા, લોકસભા સાંસદ – અમરેલી જિલ્લા, જનકભાઈ તળાવિયા- ધારાસભ્ય લાઠી બાબરા, આર.પી. બારોટ સાહેબ-એડિશનલ પોલીસ કમિશનર, સુરત શહેર, પી.પી.સવાણી CFE – ગૌરવ યાદવ, ડૉ. નિલેશ કાછડિયા-જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, પ્રેરક વક્તા મનીષ વાઘાસિયા, PI સંદીપભાઈ વેકરીયા, પ્રમુખ પરેશભાઈ તળાવિયા, ઉપપ્રમુખ જયસુખભાઈ તળાવિયા (J J બિલ્ડર), વાઘજીભાઈ આંબરડી, જયંતીભાઈ તળાવીયા એક્સપોર્ટ, સુરેશભાઈ પેરેડાઈઝની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.