મોટા સમાચાર: સુરતમાં મહીધરપુરા હીરાબજાર ફરીથી બંધ કરાયું

સુરતમાં કોરોના વાયરસ ને પગલે એક વાર ફરી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલ હીરા બજાર ફરી વાર બંધ કરવામાં આવ્યું છે.

અગાઉ પણ હીરા બજાર બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ ૧૦ જુલાઈના રોજ ફરીથી ચાલુ કરવામાં આવ્યું હતું.

તેના માટે કેટલાક નિયમો અને સમય ગાળો નક્કી કરવામાં આવ્યા હતા. હીરા બજાર ખુલે તો તેને બપોરે ૨ વાગ્યા થી સાંજે ૬ વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

પરંતુ વધતા જતા કોરોના સંક્રમણ ને કારણે હીરા બજાર ને ફરીથી બંધ કરી દેવામાં આવ્યું છે. જો કે તેના વિષે માહિતી નથી મળી રહી કે હીરા બજાર ફરી થી ક્યારે ચાલુ કરવામાં આવશે.

શહેરની ચાર હીરા બજાર પૈકી સૌથી મોટી મહિધપુરા હીરા બજારમાં કેસ વધતાં કેન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરાયા છે. જેથી હીરા બજારની જે શેરીઓમાં કેસ વધ્યા તેને પાલિકા દ્વારા બંધ કરાવવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, અગાઉ સેફ વોલ્ટ પણ સ્વયંભૂ બંધ કરાયા હતાં.

આ ઉપરાંત સુરતના કારખાના યુનિટોને ૧૪ મી જુલાઈ થી ચાલુ કરવામાં આવ્યા હતા. તે હજુ પણ ધમધમી રહ્યા છે. તેના બંધ થવા વિષે કોઈ જાણકારી મળી રહી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *