અપરા એકાદશી ના દિવસે કરો આ કાર્ય, આજીવન ભગવાન વિષ્ણુની રહેશે કૃપા

જયેષ્ઠ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીને અપરા એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે અપરા એકાદશી 6 જૂન 2021ને રવિવારના રોજ છે. અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની…

જયેષ્ઠ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીને અપરા એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે અપરા એકાદશી 6 જૂન 2021ને રવિવારના રોજ છે. અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી અને આ દિવસે વ્રત રાખવાથી અપાર ધનની પ્રાપ્તિ થાય છે.ચાલો આપણે જાણીએ આ દિવસે ક્યાં કામ ન કરવા જોઈએ સાથે જ જાણીએ અપરા એકાદશી ના ઉપાયો વિશે.

અપરા એકાદશી ના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ
અપરા એકાદશીના દિવસે કાંસાના વાસણમાં ભોજન ન કરવું જોઈએ. એકાદશીના દિવસે ચોખા પણ ન ખાવા જોઈએ કારણ કે તેને વ્રત માં વર્જિત માનવામાં આવે છે.એકાદશીના દિવસે ચોખાનો ત્યાગ કરવાથી વ્રતમાં બમણું ફળ મળે છે.એકાદશીના દિવસે લસણ,ડુંગળી અને મસૂર ની દાળ નું સેવન ન કરવું જોઈએ.

અપરા એકાદશીના દિવસે કરો આ કાર્ય
અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની મૂર્તિ ને એક બાજોટ પર સ્થાપિત કરી તેમાં પીળા ફળ,ફૂલ અને મીઠાઈ અર્પિત કરો.આ દિવસે ભગવાન વિષ્ણુ ને કેળાનો ભોગ ધરાવો જોઈએ. આસન પર બેસીને ॐ नमो भगवते वासुदेवाय મંત્રની એક માળા એટલે કે 108 વખત જાપ કરો.આ દિવસે ચોખા ઘીનો દીવો પ્રગટાવો.આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *