શું ગૌમૂત્ર પીવાથી ખરેખર સ્વાસ્થ્ય ફાયદા થાય છે? જાણો હકીકત

Cow Urine Benefits: ગૌમૂત્ર પર અલગ-અલગ સમયે નેતાઓ નિવેદન આપતા રહે છે. આયુર્વેદ તેને પહેલાથી જ ફાયદાકારક જણાવી ચુક્યાં છે. આજના યુગમાં વિશ્વમાં (Cow Urine Benefits) દર છઠ્ઠું મૃત્યુ કેન્સરને કારણે થઈ રહ્યું છે. ત્યારે ઘણા લોકો દાવો કરે છે કે ગૌમૂત્રથી તેની સારવાર શક્ય છે. હવે અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ વિષય પર વિજ્ઞાન શું કહે છે? ગૌમૂત્ર મુદ્દે નીતિન ગડકરીએ પણ ઘણી વખત પોતાનો મત વ્યક્ત કર્યો છે. ચાલો તેના વિશે વિગતે જાણીએ.

શું ગૌમૂત્રથી કેન્સરની સારવાર સંભવ નથી?
મેડિકલ અને પીડિયાટ્રિક ઑન્કોલૉજીના એસોસિએટ પ્રોફેસર વેંકટરમન રાધાકૃષ્ણન આ મુદ્દા પર પોતાનો વિચાર રાખતા ગૌમૂત્રને ફાયદાકારક જણાવે છે. ગૌમૂત્રથી કેન્સરનો ઈલાજ શક્ય નથી. વ્યક્તિગત અનુભવના આધારે ક્યારેય કોઈ દર્દી જોયું નથી જેણે ફક્ત ગૌમૂત્ર પીધું હોય અને કેન્સર જેવી બીમારીનું નિદાન થયું હોય.

ગૌમૂત્રમાં એવું કોઈ તત્વ નથી કે જે કેન્સરને ખતમ કરી શકે. તેમણે કહ્યું કે ગૌમૂત્ર મૂત્રમાંથી જ મળે છે અને તેમાં 95% પાણી ઉપરાંત પોટેશિયમ, સોડિયમ, ફાસ્ફોરસ અને ક્રેટિનિન જેવા ખનીજ હોય છે. તેમાંથી કોઈ પણ કેન્સરને રોકવાવાળું તત્વ નથી હોતું. ગૌમૂત્ર ખેતરોમાં ઉપયોગ માટે હોય છે જેથી પાક વધુ ફળદ્રુપ રહે અને તેનાથી કેન્સરની દવાના રુપે વેચવું ન જોઈએ.

શું કહે છે આયુર્વેદ?
આયુર્વેદ અનુસાર, ગાયના મૂત્રથી મેદસ્વિતા દૂર કરી શકાય છે. અંગ્રેજી વેબસાઈટ હેલ્થસાઈટ અનુસાર, ગૌમૂત્રમાં વિટામિન જોવા મળે છે, જે વજનને ઘટાડવામાં સહાયક હોય છે. તેની સાથે જ ગૌમૂત્ર પાચનતંત્રને સુધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. ગૌમૂત્રનો ઉપયોગ ત્વચાની દેખરેખ માટે પણ કરવામાં આવે છે. આયુર્વેદ અનુસાર, ખીલ અને ત્વચા સંબંધિત સમસ્યાઓમાં ગૌમૂત્રનો ઉપયોગ કરી શકાય છે. તેની સાથે જ ધાધર-ખંજવાળ જેવી ત્વચા રોગોથી દૂર કરવામાં પણ ગૌમૂત્રને અસરકારક માનવામાં આવે છે.

રિસર્ચરે એવો પણ દાવો કર્યો હતો કે ગૌમૂત્ર એન્ટીબેક્ટેરિયલ હોવાનું કહેવાય છે પરંતુ આ સાચું નથી. ગૌમૂત્રના સેવનથી તે હૃદય રોગ, શ્વસન સંબંધી બીમારીનું કારણ બની શકે છે. સાથે જ ગૌમૂત્ર ટ્યુબરક્યુલોસિસ, બ્રુસેલોસિસ, લેપ્ટોસ્પાયરોસિસ અને સાલ્મોનેલોસિસ જેવા રોગો ફેલાવી શકે છે.