શું બીજીવાર ગરમ કરવાથી ચા બની જાય છે ઝેર? અહીં જાણો શું છે હકીકત

Tea Making Mistakes: ચા એ મોટાભાગના લોકોના જીવનનો એક ભાગ છે. ચાના શોખીન લોકો તેને દિવસમાં ઘણી વખત પીવે છે. પરંતુ કડક ચા પીવા માટે તેને લાંબા સમય સુધી ઉકાળવી પડે છે. જો તમે પણ દૂધની ચાને(Tea Making Mistakes) લાંબા સમય સુધી ઉકાળો છો તો સાવચેત રહો, કારણ કે તે સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક હોઈ શકે છે.

ચાને વધુ સમય સુધી ઉકાળવી એ સ્વાસ્થ્ય માટે બિલકુલ સારી નથી. ચા તૈયાર કરવામાં લાગતો સમય સ્વાસ્થ્ય પર અસર કરે છે, તેથી સારી અને કડક ચા પીતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. અહીં જાણો ચાને કેટલા સમય સુધી ઉકાળવી જોઈએ અને ચા પીવાની સાચી રીત કઈ છે…

વધારે ઉકાળેલી ચાના ગેરફાયદા
હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે ચાને વધારે ઉકાળવાથી તે ઝેરી બની જાય છે. આને પીવાથી એસિડિટીની સૌથી મોટી સમસ્યા થઈ શકે છે. જેના કારણે બીજી ઘણી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. આ સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી.

ચામાંથી તમને એન્ટીઓક્સીડેન્ટ્સ પણ મળે છે. પરંતુ ચા બનાવતી વખતે આપણે તેને વધારે ઉકાળીએ છીએ જેના કારણે આ હેલ્ધી ડ્રિંક પણ આપણા માટે ઝેર બની જાય છે. દૂધની ચાને જેટલી વધુ ઉકાળો છો, તેટલી જ તેની એસિટિક પ્રોપર્ટી વધે છે અને તેને પચાવવામાં મુશ્કેલી પડે છે. વધુ પડતી ઉકાળેલી ચા તમારા પેટના બળતરા પેદા કરે છે. એટલું જ નહીં, યોગ્ય રીતે તૈયાર કરેલી ચામાંથી તમે વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ મેળવી શકો છો. તે જ સમયે, વધુ પડતા ઉકાળવાથી ચામાં એક્રેલામાઇડ અને ટેનીન જેવા હાનિકારક સંયોજનો પણ ઉત્પન્ન થાય છે, જે શરીરમાં એસિડિટી વધારે છે.

ચા ઉકાળવામાં કેટલો સમય લેવો જોઈએ?
ચા બનાવવામાં આવે ત્યારે તેને ઓછામાં ઓછા બે મિનિટ સુધી સારી રીતે ઉકળવા દો. આ ચાનો રંગ સારો આવશે સાથે જ તેની સુગંધ પણ સારી આવશે. ઠંડા પાણીમાં ચાની પત્તી નાખવાનું ટાળવું જોઈએ. ઉકળતા પાણી પછી ચામાં જ ભૂકી ઉમેરવાનું હંમેશા શ્રેષ્ઠ છે. ચાને બે મિનિટથી વધુ ઉકાળવી જોઈએ નહીં.

ચા પીતી વખતે આ વાતોનું ધ્યાન રાખો
1. ચાની ભૂકી હંમેશા એર ટાઈટ કન્ટેનરમાં બંધ રાખો. જેના કારણે તેના પાંદડાનો સ્વાદ લાંબા સમય સુધી રહે છે.
2. ચા બનાવવાની સૌથી સારી રીત છે કે પહેલા ચાના પતીને પાણીમાં બરાબર ઉકળવા દો, પછી દૂધ ઉમેરો. આ તેને અદ્ભુત સ્વાદ બનાવે છે.