કોરોના સંક્રમણના પગલે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં જાહેર કરાઇ ગાઇડલાઇન- ખાસ જાણો આ નિયમો

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: કોરોના સંક્રમણને કારણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પ્રવેશ માટે ગાઈડ લાઈન જાહેર કરી દેવામાં આવી છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્વમાં વિદેશથી પણ ભાવિકો આવતા હોવાથી સંક્રમણ ન ફેલાઇ માટે એક ગાઇડલાઇન(Corona guideline) રજૂ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, અમદાવાદમાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં રોજ લાખોની સંખ્યામાં ભાવિકો આવી રહ્યાં છે. તો બીજી બાજુ અહી દેશ-વિદેશથી પણ ભક્તો આવી રહ્યા છે. હાલ ચીન અમેરિકા જાપાન સહિતના દેશોમાં ફરી કોરોનાના અઢળક કેસ સામે આવી રહ્યાં છે. જ્યાં ઓમિક્રોનનો ઝડપથી ફેલાતો સબવેરિયન્ટ BF.7નું સંક્રમણ કાળો કેર વર્તાવી રહ્યું છે.

ત્યારે આ સ્થિતિ ભારત માટે પણ ખતરાની ઘંટી કહી શકાય. ત્યારે આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને અગમચેતીના ભાગ રૂપે સરકાર સાથે વિચાર વિમર્શ બાદ BAPS સ્વામિનારાયણ સંસ્થાએ નીચે મુજબ જણાવતા કહ્યું છે કે, આ મહોત્સવમાં એન્ટ્રી માટે હવે કેટલાક નિયમોનું ફરીજીયાત પણે પાલન કરવું પડશે.

જાણો શું છે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં એન્ટ્રી માટેની ગાઇડ લાઇન:
વિશ્વભરમાં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા થઈ રહેલા કેસના પગલે વિચાર વિમર્શ કરતા જાહેર જનહિત માટે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પધારનાર ભક્તો-ભાવિકો માટે આગોતરી ગાઈડ લાઇન જાહેર કરી છે. જેનું 26 ડિસેમ્બર એટલે કે સોમવારથી અમલીકરણ થશે.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ મહદ અંશે વિશાળ અને ખુલ્લા વાતાવરણમાં છે, આથી સોશ્યલ ડિસ્ટન્સ રાખીને મહોત્સવનો લાભ લેવો. મહોત્સવની સેવામાં જોડાયેલા તમામ સ્વયંસેવકો અવશ્ય માસ્ક પહેરશે, સાથે સાથે મહોત્સવની દર્શન-યાત્રાએ પધારનાર સર્વે દર્શનાર્થીઓને પણ માસ્ક અવશ્ય પહેરવા વિનંતી છે. મહોત્સવ સ્થળ – પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રવેશ મેળવવા માટે માસ્ક પહેરવાનો ફરજિયાત છે.

એકબીજા સાથે હાથ મિલાવવાનું ટાળવું. નમસ્કાર મુદ્રાથી જ અભિવાદન કરવાનો આગ્રહ રાખવો. 24 બાદ વિદેશથી મહોત્સવમાં આવનાર ભક્તોએ કોરોનાના ટેસ્ટનું નેગેટિવ સર્ટી આપવાનું રહેશે. શરદી, તાવ, ઉધરસ જેવી તકલીફ ધરાવનાર વ્યક્તિએ મહોત્સવમાં ન આવવાનું સૂચના. 5. કો-મોર્બીડ લક્ષણ (હૃદયરોગ, બીપી, ડાયાબિટીસ, કિડની ડીસીઝ વગેરે) ધરાવતી વ્યક્તિઓએ ભીડમાં આવવાનું ટાળવું.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO), ભારત સરકારના આરોગ્ય મંત્રાલય તેમજ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રાલયના નિર્દેશ મુજબ, કોરોનાથી ગભરાવાની જરૂરિયાત નથી પરંતુ સાવધાની અવશ્ય રાખીએ, વેક્સિનનો કોઈ ડોઝ લેવાનો બાકી હોય તો તે વહેલામાં વહેલી તકે લઈ લઈએ. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ઠેર ઠેર સ્વચ્છ ટોઇલેટ બ્લોક્સ રાખવામાં આવ્યા છે, ત્યાં સાબુ અને હેન્ડ સેનિટાઈઝર રાખવામાં આવ્યા છે, તેનો ઉપયોગ કરવો અને પોતાના હાથ સમયે સમયે સ્વચ્છ રાખવા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *