જાણો કયું છે એ મંદિર જ્યાં સાંજ પછી જતા લોકો બની જાય છે પથ્થર 

વિશ્વમાં આવા ઘણા સ્થળો છે. જેનું રહસ્ય 21મી સદીમાં પણ લોકોને આશ્ચર્યચકિત કરે છે. કલા અને સંસ્કૃતિથી સમૃદ્ધ રાજસ્થાનની રેતાળ ભૂમિમાં ઘણા રહસ્યો દફનાવવામાં આવ્યા…

વિશ્વમાં આવા ઘણા સ્થળો છે. જેનું રહસ્ય 21મી સદીમાં પણ લોકોને આશ્ચર્યચકિત કરે છે. કલા અને સંસ્કૃતિથી સમૃદ્ધ રાજસ્થાનની રેતાળ ભૂમિમાં ઘણા રહસ્યો દફનાવવામાં આવ્યા છે. અહીંનાં રહસ્યો વૈજ્ઞાનિકો માટે પણ એક પડકાર રહ્યા છે. રાજસ્થાનમાં કિરાડુ મંદિર રહસ્યોથી ભરેલું છે.

રાજસ્થાનના બાડમેર જિલ્લામાં રહેલ આ મંદિરનું નામ કિરાડુ મંદિર છે. લોકો આ મંદિરને જોવા માટે દૂર-દૂરથી આવે છે પરંતુ સાંજ પડતાં પહેલાં લોકો અહીંથી જતા રહે છે. આની પાછળ એક ખૂબ જ ડરાવનું કારણ છે. આ મંદિરની માન્યતા છે કે, જે કોઈ પણ આ મંદિરમાં સૂર્યઅસ્ત થયા પછી રહે છે, તે કાયમ માટે પથ્થર બની જાય છે. આ વિલક્ષણ રહસ્યને કારણે સાંજ પછી કોઈ અહીં રહેતું નથી.

એવું માનવામાં આવે છે કે, આ ભયાનક રહસ્યની પાછળ એક સાધુનો શાપ છે. અહીંના લોકોનું કહેવું છે કે, આજદિન સુધી કોઈ પણ વ્યક્તિ આ મંદિરથી સાંજ બાદ પાછો ફર્યો નથી. આ મંદિર ખૂબ જ સુંદર છે અને ખંડેરો વચ્ચે આવેલું છે. લોકો અહીં પિકનિક માટે જાય છે. જોકે, આ રહસ્યમય મંદિરના નામે એક ડર છે. લોકો તેના નામથી ડરે છે.

આવા ભયાનક રહસ્ય પછી પણ, આ મંદિરની સુંદરતા લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ કારણે અહીં દિવસ દરમિયાન લોકોનો મેળો ભરાય છે. જોકે, લોકો સાંજના સમયે મંદિરથી પાછા આવે છે. ઘણા લોકો આ મંદિરને દુરથી જોઈને પાછા ફર્યા. તેમની પાસે આ મંદિરની અંદર જવાની હિંમત થતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *