પતિ-પત્ની વચ્ચેના ઝગડાનો ભોગ બન્યું નાનું બાળક: ક્રૂર પિતાએ 3 વર્ષની બાળકીને રૂમની બહાર ઘા કરી દેતા નીપજ્યું કરુણ મોત

અલવર: હાલમાં રાજસ્થાનના અલવરમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્નીએ બુરખો ન પહેર્યો તો તેની ત્રણ વર્ષની પુત્રીને રૂમમાંથી બહાર ફેંકી દીધી અને હત્યા કરી હતી. ત્રણ વર્ષ પહેલા, આ પુત્રીના જન્મ પર, તેના સાસરિયાઓએ તેને એક કાર ભેટમાં આપી હતી. પુત્રીના મૃત્યુ બાદ પિતા આખી રાત ઘરથી બહાર રહ્યા. સવારે નિર્દોષના અંતિમ સંસ્કાર કરતી વખતે તેણે ગામલોકોને કહ્યું કે તે બીમાર હતી.

માતા આખી રાત મૃત પુત્રીની બાજુમાં રડતી રહી. તેને તેના પરિવારજનોને પણ બોલાવવા દીધા નહી. બીજા દિવસે મહિલાનો ભાઈ અને અન્ય લોકો આવ્યા. ત્યારબાદ મહિલાએ હિંમત બતાવી અને પતિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો. આ ઘટના 17 ઓગસ્ટે બની હતી. બીજા દિવસે દીકરીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ત્યારથી આરોપી ફરાર છે.

બહરોડ પોલીસ સ્ટેશનના અધિકારી પ્રેમ પ્રકાશે જણાવ્યું કે, ગાડોજ ગામની રહેવાસી મોનિકા યાદવના રિપોર્ટ પર હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. મોનિકાએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે તેના પતિ પ્રદીપ યાદવ હંમેશા ઘરની અંદર બુરખો પહેરવાનું કહે છે. તે પણ બુરખો પહેરતી હતી. પરંતુ 17 ઓગસ્ટની સાંજે તે તેની નણંદના ઘરેથી ગાદોજ પરત આવી. પતિને ગુસ્સો આવ્યો કે તેણે તેના સસરાની સામે સંપૂર્ણ ઘૂંઘટ નાખ્યો નથી. તેણે તેની પત્ની સાથે ઝઘડો કર્યો અને તેને માર પણ માર્યો.

થોડા સમય પછી, પ્રદીપે તેની ત્રણ વર્ષની પુત્રી પ્રિયાંશીને ઉછાળીને રૂમમાંથી બહાર ફેંકી દીધી, તેની હત્યા કરી. મોનિકા બે મહિલાઓ સાથે પુત્રીને હોસ્પિટલ લઈ ગઈ. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. આ પછી, તે રાત્રે જ મૃતદેહ સાથે ઘરે આવી. તે સમયે પતિ પ્રદીપ યાદવ ઘરેથી ફરાર થઇ ગયો હતો. મોનિકા પોતાની મૃત પુત્રી પાસે આખી રાત રડતી રહી.

18 ઓગસ્ટના રોજ સવારે લગભગ 8:30 વાગ્યે દીકરીનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. ત્યાં સુધીમાં પ્રદીપ ઘરે પહોંચી ગયો હતો. તેણે ગામલોકોને કહ્યું કે, પુત્રી ઘણા દિવસોથી બીમાર હતી, જેના કારણે તેનું મોત થયું હતું. થોડા સમય પછી સમાચાર પિયર પક્ષ સુધી પહોંચ્યા અને તેઓ ગાદોજ આવ્યા. ત્યારબાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. મોનિકાએ પ્રદીપ અને અન્યો સામે કેસ દાખલ કર્યો છે

મોનિકાએ પોલીસને જણાવ્યું કે, તેના લગ્ન વર્ષ 2013માં પ્રદીપ સાથે થયા હતા. તે એક ફેક્ટરીમાં કામ કરે છે. તેઓ 12 સુધી ભણેલા છે. મોનિકા સ્નાતક છે. લગ્નમાં તેના પરિવારે સામાન અને બાઇક આપી હતી. પ્રદીપ દહેજની માંગને લઈને અવારનવાર ઝઘડો કરતો હતો. તેને બે દીકરીઓ હતી. મોટી દીકરી કશિશ 6 વર્ષની છે. નાની દીકરી પ્રિયાંશીનો જન્મ 2018માં જ થયો હતો. જ્યારે પિયર પક્ષ તરફથી પ્રદીપને કાર ભેટમાં આપીને ઘરમાં વિવાદ ખતમ કર્યો હતો.

તેમ છતાં તે સુધર્યો નહીં જેથી રેવાડીમાં બે વાર કેસ દાખલ કર્યા. જોકે, બાદમાં સમાધાન થઇ ગયું હતું. પોલીસ અધિકારી પ્રેમ પ્રકાશે કહ્યું કે, હત્યાના કેસમાં પોલીસને જાણ કર્યા વગર અંતિમ સંસ્કાર અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ બનાવમાં સામેલ લોકોની ઓળખ કરવામાં આવશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઘટના બાદ આરોપી ફરાર છે. તેની પણ શોધ ચાલુ છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *