જાણો શ્રીફળ માં એવુ તો શું છે ખાસ જેના વગર અધૂરી માનવામાં આવે છે પૂજા

ભગવાનને શ્રીફળ અર્પણ કરવા ઉપરાંત, દરેક શુભ પ્રસંગે શ્રીફળ વધેરવામાં આવે છે. શ્રીફળ નો ઉપયોગ મુખ્યત્વે પ્રસાદમાં થાય છે. આ સિવાય, ઘણા દિવસો સુધી ચાલેલા…

ભગવાનને શ્રીફળ અર્પણ કરવા ઉપરાંત, દરેક શુભ પ્રસંગે શ્રીફળ વધેરવામાં આવે છે. શ્રીફળ નો ઉપયોગ મુખ્યત્વે પ્રસાદમાં થાય છે. આ સિવાય, ઘણા દિવસો સુધી ચાલેલા ઉપવાસનો સંકલ્પ પણ ભગવાનને શ્રીફળ અર્પણ કરીને લેવામાં આવે છે.

બીજી બાજુ, પૂજામાં શ્રીફળ વધેરવાનો અર્થ એ છે કે વ્યક્તિએ પોતાને ભગવાનના ચરણોમાં અર્પણ કર્યા છે. જૂના સમયમાં આપવામાં આવતી બલિની પરંપરાને તોડવા માટે પણ શ્રીફળ અર્પણ કરવાની પરંપરા તેની જગ્યાએ શરૂ કરવામાં આવી હતી.

નાળિયેરનું વૃક્ષ ધર્મ અને જ્યોતિષ બંનેમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં નાળિયેરનું ઝાડ રાખવાથી ઘણા વાસ્તુ દોષો નાશ પામે છે. બીજી બાજુ નારિયેળના વૃક્ષની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. કુંડળીના દોષ દૂર કરવા માટે નાળિયેરના વૃક્ષની પૂજા કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે.

એવું કહેવાય છે કે જ્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર અવતાર લીધો હતો, ત્યારે તેઓ માતા લક્ષ્મી, નાળિયેરનું ઝાડ અને કામધેનુ પોતાની સાથે લાવ્યા હતા. નાળિયેરના વૃક્ષને કલ્પવૃક્ષ પણ કહેવાય છે. આ સિવાય તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. જે ઘરમાં નાળિયેરનું ઝાડ હોય ત્યાં હંમેશા ધન અને સમૃદ્ધિ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *