ભયંકર અકસ્માતમાં પાંચ લોકોના દર્દનાક મોત- ગાડીની હાલત આવી છે તો અંદર બેઠેલા માણસોની હાલત કેવી હશે…

માહિતી આપતા પોલીસે જણાવ્યું છે કે રાજસ્થાન(Rajasthan)ના ઉદયપુર(Udaipur) જિલ્લામાં બુધવારે એક જીપ ખાડીમાં પડતાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા તેમજ અન્ય 13 ઘાયલ…

માહિતી આપતા પોલીસે જણાવ્યું છે કે રાજસ્થાન(Rajasthan)ના ઉદયપુર(Udaipur) જિલ્લામાં બુધવારે એક જીપ ખાડીમાં પડતાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા તેમજ અન્ય 13 ઘાયલ થયા હતા. તેમજ પોલીસે જણાવ્યું છે કે, અકસ્માત(Accident)માં માર્યા ગયેલાઓમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. પીટીઆઈએ ઉદયપુરના પોલીસ અધિક્ષક મનોજ ચૌધરીએ હવાલેને જણાવ્યું હતું કે, “અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા અને અન્ય 13 લોકો ઘાયલ થયા હતા.”

આ અકસ્માત નાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના નંદેશ્વર મહાદેવ મંદિર પાસે થયો હતો. આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ગેહલોતે ટ્વીટ કર્યું કે, ઉદયપુરના ઉદયપુર-ઝાડોલ રોડ પર થયેલા અકસ્માતમાં 5 લોકોના મોત ખૂબ જ દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન તેમને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે અને દિવંગતના આત્માને શાંતિ આપે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોના જલ્દી સ્વસ્થ થવાની કામના.

આ પહેલા મંગળવારે રાજસ્થાનના અલવર જિલ્લામાં બસ અને ટ્રેક્ટર વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર કુશલગઢ ગામ પાસે રાજસ્થાન રોડવેઝની બસ અને ઈંટોથી ભરેલા ટ્રેક્ટર વચ્ચે અથડામણમાં 23 લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણનું મૃત્યુ થયું હતું, જ્યારે 20 લોકો હોસ્પિટલમાં દાખલ છે. ગંભીર રીતે ઘાયલ ત્રણમાંથી બેને જયપુરની સવાઈ માન સિંહ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યારે એક યુવકને તેના સંબંધીઓ દ્વારા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *