ફ્લેટ વેચાઈ જાય એ માટે યુવકે માની હતી મોગલ માં ની માનતા અને થયો એવો ચમત્કાર કે… સાંભળીને તમને પણ વિશ્વાસ નહિ આવે

‘ભક્તો સાદ પાડે અને તરત આવે એ માં મોગલ’ માં મોગલ તો દિન-દયાળી છે. જયારે પણ ભક્તો ના જીવન માં દુ:ખ આવે છે ત્યારે ભક્તો માં મોગલ ને અચૂક યાદ કરે છે અને માં મોગલ પર આસ્થા અને શ્રધ્ધા રાખો એટલે માં મોગલ અચૂક ભક્તોની સમસ્યાઓ સાંભળે છે અને દુર કરે છે. તેથી ભક્તો પણ માં મોગલ ની માનતા માને છે અને પૂર્ણ થતાં આવી પહોંચે છે કબરાઉધામ. માં મોગલ ના કંકુ ના પગલા પડે ને ત્યાં મુશ્કેલી તો શું ચોઘડિયા નો કાળ પણ નો નડે…

આજ દિન સુધી સાંભળ્યું છે કે માં મોગલે લાખો માઈ ભક્તો ને પરચા પણ બતાવ્યા છે ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું જેમાં રાજકોટ થી અલ્પેશભાઈ નામનો યુવક પોતાની માનેલી માનતા પૂરી કરવા કબરાઉ ધામ આવી પહોચ્યા. કહેવાય છે કે માં મોગલ પર વિશ્વાસ રાખો તો તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે.

માં મોગલ ના સાનિધ્ય માં સાક્ષાત બિરાજમાન એવા મણીધર બાપુ ના આશીર્વાદ લીધા અને મણીધર બાપુ એ એ યુવક ને આશીર્વાદ આપતા પૂછ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે યુવકે જણાવ્યું કે તેનો કેટલા સમય થી એક ફ્લેટ વેચાતો ન હતો. તેથી માં મોગલ ની માનતા માની હતી.અને માનતા પૂરી થઇ અને ફ્લેટ વેચાઈ ગયો તેથી માનતા પૂરી અને માં મોગલ ના ચરણો માં 10000 રૂપિયા અર્પણ કરવા અહી આવ્યો છું.મણીધર બાપુ એ કહ્યું કે બેટા વિશ્વાસ રાખ્યો એટલે તારો ફ્લેટ વેચાય ગયો, કોઈ દિવસ અંધશ્રદ્ધામાં આવતો નહિ.

મણીધર બાપુ એ વિશેષ માં જણાવતા કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી પરંતુ તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે. માં મોગલ પર શ્રદ્ધા રાખવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે.મણીધર બાપુ એ એ 10000 રૂપિયા માં એક રૂપિયો ઉમેરી પરત આપ્યા અને કહ્યું આ પૈસામાંથી ભાગે પડતા તારી બહેન અને તારી ફઈને આપજે માં મોગલ રાજી થશે આતો કહેવાય છે કે આ દુનિયા નો અંત આવે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *