કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદી હુમલો – SPO ઝુબેર અહેમદ શહીદ, 5 જવાન ઘાયલ

કાશ્મીર(Kashmir): બાંદીપોરામાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર ગ્રેનેડ ફેંક્યો, જેમાં 1 પોલીસકર્મીનું મોત થયું અને 3 ગંભીર રીતે ઘાયલ…

કાશ્મીર(Kashmir): બાંદીપોરામાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર ગ્રેનેડ ફેંક્યો, જેમાં 1 પોલીસકર્મીનું મોત થયું અને 3 ગંભીર રીતે ઘાયલ થયા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ શુક્રવારે બપોરે નિશાત પાર્કના મુખ્ય શહેર બાંદીપોરા નજીક પોલીસ અને CRPFની સંયુક્ત ટીમને નિશાન બનાવી હતી.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓએ નિશાત પાર્ક પાસે નાકા પાર્ટી પર ગ્રેનેડ ફેંક્યો. આ ઘટનામાં પાંચ પોલીસકર્મી ઘાયલ થયા હતા. આ ઘાયલોમાં બે સીમા સુરક્ષા દળ (BSF) અને 3 પોલીસકર્મી ઘાયલ થયા છે.

શુક્રવારે ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના નિશાત પાર્કમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડ ફેંક્યો હતો. આ હુમલામાં પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તમામ ઘાયલોની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. દરમિયાન, સુરક્ષા દળોએ હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદીઓએ સુરક્ષાદળોના કાફલા પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં પાંચ જવાન ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક જવાનની હાલત ગંભીર છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાખોર આતંકીઓને શોધવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું સતત ઓપરેશન ચાલી રહ્યું છે. 7 ફેબ્રુઆરીના રોજ, જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *