પ્રમુખસ્વામીનગરના દર્શનાર્થે પહોંચેલા ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોરને જાણો કઈ વાતનો જીવનભર રહી ગયો વસવસો

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદ(Ahmedabad)માં ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજનો ભવ્યાતિ ભવ્ય શતાબ્દી મહોત્સવ(PSM) હવે અંતિમ ચરણમાં છે. ત્યારે આ શતાબ્દી મહોત્સવમાં અત્યાર સુધી અનેક…

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદ(Ahmedabad)માં ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજનો ભવ્યાતિ ભવ્ય શતાબ્દી મહોત્સવ(PSM) હવે અંતિમ ચરણમાં છે. ત્યારે આ શતાબ્દી મહોત્સવમાં અત્યાર સુધી અનેક દિગ્ગજ નેતાઓ અને મહાનુભાવો દર્શનાર્થે આવી ચુક્યા છે. તે પછી ફિલ્મ જગત હોય, ઉધોગકાર હોય કે અન્ય કોઈ પણ. ત્યારે ગુજરાતી ફિલ્મ જગતમાં ધૂમ મચાવનાર લોકગાયક કલાકાર અને અભિનેતા વિક્રમ ઠાકોર(Vikram Thakor) પ્રમુખસ્વામીનગરના દર્શનાર્થે આવ્યા હતા.

મહત્વનું છે કે, ગુજરાતી ફિલ્મ અભિનેતા અને લોકગાયક કલાકાર તરીકેની નામનાં મેળવનાર વિક્રમ ઠાકોર પ્રમુખસ્વામીનગરના દર્શનાર્થે આવ્યાં હતા. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના પ્રદર્શનો, ગ્લો ગાર્ડન અને બાળનગરી જોઈને તેઓ ખૂબ જ અભિભૂત થયાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અભિનેતા વિક્રમ ઠાકોરે પ્રમુખસ્વામીને મળી ન શક્યાં તેનો વસવસો રહી ગયો હોવાનું જણાવતા કહ્યું હતું. તેમણે જણાવતા કહ્યું હતું કે, આ નગરમાં આવતાં જ જાણે કે સ્વર્ગમાં ફરિ રહ્યાં હોય તેવો અનુભવ થઇ રહ્યો છે. હું ભલે બાપાને મળી શક્યો નથી પરંતુ સ્વામી બાપા આજે પણ મારા દિલમાં વસેલાં છે. મહત્વનું છે કે, વિક્રમ ઠાકોરના કંઠે આધ્યાત્મિક ગીત ગાયુ હતું.

અમે તમને જણાવી દઈએ કે, વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા 160 કરતાંય વધુ પ્રવૃતિઓથી પ્રત્યેક માનવના સર્વતોમુખી ઉત્કર્ષ માટે અભૂતપૂર્વ આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાઓની ભાગીરથી વહાવી રહી છે. નૈતિક મૂલ્યોનું પ્રસારણ હોય, વ્યસનમુક્તિ હોય, પર્યાવરણ સંરક્ષણ હોય કે આદિવાસી ઉત્થાન હોય, પ્રમુખસ્વામી મહારાજની કરુણા પ્રત્યેક વર્ણ-વય, જ્ઞાતિ-જાતિ, દેશ-વેશ અને ધર્મ-કર્મની વ્યક્તિઓ પર વરસી છે.

અમે તમને જણાવી દઈએ કે, 1200 કરતાં વધુ મંદિરોના સર્જનથી, 5000 થી વધુ સત્સંગ કેન્દ્રો દ્વારા, 100 થી અધિક શાળાઓ અને હૉસ્પિટલોના નિર્માણથી પ્રમુખસ્વામી મહારાજે વિશ્વનું કલ્યાણ કર્યું છે. પવિત્રતાથી પરિપૂર્ણ એવા પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત 1100 કરતાં વધુ સંતો, 7,050,00 કરતાં વધુ લખાયેલાં પત્રો, 17,000 થી વધુ ગામોમાં કરાયેલા વિચરણ અને 2,050,00 કરતાં વધુ ઘરોમાં પધરામણી દ્વારા તેમણે લાખો મનુષ્યોનું જીવન ધન્ય કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *