રીક્ષા ચાલકનો દીકરો વેઈટરની નોકરી કરીને ભરી રહ્યો હતો ફી, આ રીતે મહેનત કરીને બન્યા IAS- જાણો સફળતાનું રાજ

ઘણી વખત એવું કહેવામાં આવે છે કે જો તમારા ઇરાદા મક્કમ હોય તો તમે કોઇપણ પદ હાંસલ(Success story) કરી શકો છો અને તમારા માર્ગમાં કોઇ…

ઘણી વખત એવું કહેવામાં આવે છે કે જો તમારા ઇરાદા મક્કમ હોય તો તમે કોઇપણ પદ હાંસલ(Success story) કરી શકો છો અને તમારા માર્ગમાં કોઇ મુશ્કેલી ઉભી નહીં કરી શકે. મહારાષ્ટ્ર(Maharashtra)ના જાલના નિવાસી અંસાર અહમદ શેખે(Ansar Ahmed Sheikh) તેને સાચી સાબિત કરી અને જીવનમાં ઘણી મોટી મુશ્કેલીઓને હરાવીને IAS અધિકારી બન્યા. અન્સાર અહમદ શેખે માત્ર 21 વર્ષની ઉંમરે UPSC પરીક્ષામાં 371 મો રેન્ક મેળવ્યો.

ભણતર છોડવાનો સમય આવી ગયો હતો:
અંસાર અહમદ શેખ મહારાષ્ટ્રના જાલના જિલ્લાના એક નાનકડા રહેવાસી છે અને તેના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી. અંસારના પરિવારની હાલત એટલી ખરાબ હતી કે તેનો અભ્યાસ છોડવાનો સમય આવી ગયો. અંસારનું કહેવું છે કે, સંબંધીઓ અને તેના પિતાએ તેને અભ્યાસ છોડી દેવાનું કહ્યું હતું.

12 માં 91 ટકા ગુણ મળ્યા:
અંસાર અહેમદ શેખે કહ્યું, ‘અબ્બાએ અભ્યાસ છોડવાનું કહ્યું હતું અને આ માટે તે મારી શાળામાં પહોંચ્યા હતા, પરંતુ મારા શિક્ષકે તેમને સમજાવ્યા અને કહ્યું કે હું અભ્યાસમાં ખૂબ જ સારો છું. આ પછી મે ગમે તેમ કરીને અભ્યાસ કર્યો. જ્યારે તેણે 12 માં 91 ટકા માર્ક્સ મેળવ્યા ત્યારે પરિવારના સભ્યો ફરી ક્યારેય અભ્યાસ માટે રોકાયા નહીં.

અંસાર અહમદના પિતા ઓટો ચલાવતા હતા:
અંસાર અહેમદ શેખે જણાવ્યું કે તેના પિતા ઓટો રિક્ષા ચલાવતા હતા અને તેની માતા ખેતરોમાં કામ કરતી હતી. અંસારે જણાવ્યું હતું કે, પપ્પા દરરોજ માત્ર એકસોથી દોઢસો રૂપિયા કમાતા હતા. જેમાં તેમના આખા પરિવારનો ખર્ચ ચલાવવો ખૂબ જ મુશ્કેલ હતો અને આવી સ્થિતિમાં તેમના પિતા અભ્યાસ માટે પૈસા આપી શકતા ન હતા.

અભ્યાસના ખર્ચને પહોંચી વળવા માટે વેઈટરની નોકરી:
12 પાસ કર્યા પછી અંસાર અહમદ શેખે પૂણેની ફર્ગ્યુસન કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં સ્નાતક થયા અને પછી યુપીએસસી પરીક્ષાની તૈયારી શરૂ કરવાનું નક્કી કર્યું, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. તેથી તેણે પૈસા ભેગા કરવા માટે હોટલમાં વેઈટર તરીકે કામ કર્યું. અંસાર અહમદ શેખે જણાવ્યું હતું કે, ‘મેં પૈસા માટે હોટલમાં વેઈટર તરીકે કામ કર્યું હતું. અહીં લોકોને પાણી પીરસવાથી માંડીને, હું ફ્લોર પર પોતા મારતો હતો.

આ રીતે મને UPSC માં સફળતા મળી:
અંસાર અહમદ શેખની મહેનત અને સંઘર્ષ સામે મુશ્કેલીઓ હારી ગઈ અને વર્ષ 2015 માં તેણે તેના પ્રથમ પ્રયાસમાં યુપીએસસી પરીક્ષા પાસ કરી. અંસારે ઓલ ઇન્ડિયામાં 371 મો રેન્ક મેળવ્યો અને IAS માટે સિલેક્ટ થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *