આ સરકારી યોજનાઓ હેઠળ ખેડૂતો વિદેશી ધનલાભ પણ મેળવી શકશે- જાણો સંપૂર્ણ માહિતી

કેન્દ્ર અને રાજ્ય સરકારો કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસો કરી રહી છે અને આવા જ એક સમાચાર હાલ હરિયાણામાંથી આવ્યા છે. હા, હરિયાણાના…

કેન્દ્ર અને રાજ્ય સરકારો કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસો કરી રહી છે અને આવા જ એક સમાચાર હાલ હરિયાણામાંથી આવ્યા છે. હા, હરિયાણાના સોનીપતમાં એક મેગા ફૂડ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે, જે 31 માર્ચ, 2022 સુધીમાં તૈયાર થઈ જશે. આ પાર્ક 169 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે.

આ સાથે સોનીપતના ગન્નૌરમાં આંતરરાષ્ટ્રીય બાગાયત માર્કેટ પણ બનવા જઈ રહ્યું છે, જે 1600 કરોડના ખર્ચે તૈયાર થશે. ખાસ વાત એ છે કે આ માર્કેટ 545 એકરમાં ફેલાયેલું હશે અને તેનો સંપૂર્ણ ખર્ચ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે નાબાર્ડ આપશે.

4 પ્રોજેક્ટને મળી લીલી ઝંડી  
આ ઉપરાંત નાબાર્ડે માઇક્રો ઇરિગેશન ફંડ એટલે કે સિંચાઇ ફંડ હેઠળ રૂ. 790 કરોડના ચાર પ્રોજેક્ટને પણ લીલી ઝંડી આપી છે. નોંધનીય છે કે, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, સિંચાઈ અને જળ સંસાધન વિભાગ અને સૂક્ષ્મ સિંચાઈ અને કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના પ્રોજેક્ટ્સ સામેલ છે.

તે જ સમયે, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ (IRDF) હેઠળ વ્યાજ દર માત્ર 2.75 ટકા છે, તેથી નાબાર્ડ હેઠળ વધુને વધુ યોજનાઓ શરૂ કરવામાં આવશે. તે જ સમયે વર્ષ 2020-21માં 44 ટકાથી વધુ આર્થિક મદદ આપી છે. જણાવી દઈએ કે, વર્ષ 2020-21માં હરિયાણા સરકારને 1030 કરોડ રૂપિયાની આર્થિક મદદ મળી છે. સાથે જ રાજ્ય સરકારે આ તમામ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે માર્ગદર્શિકા આપી છે.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ફાયદા
ઉચ્ચ જીવનધોરણ પૂરું પાડે છે. ઝડપી ઔદ્યોગિક વિકાસ થાય છે. તુંલનાત્મક ખર્ચના ફાયદાની તકો મળશે. તે આંતરરાષ્ટ્રીય સહયોગ અને વિશ્વ શાંતિનું માધ્યમ બનશે. સાંસ્કૃતિક વિનિમયની સુવિધા આપે છે. વિદેશી વિનિમય ઉપલબ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *