ફરી એક હીટ એન્ડ રન: નશામાં ધૂત કારચાલકે 9 લોકોને અડફેટે લીધા, 3ના ઘટનાસ્થળે જ મોત

Jaipur Hit and Run: સોમવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે, જયપુર પરકોટાના નાહરગઢ પોલીસ સ્ટેશનની સામેથી અડધા કિલોમીટર દૂર એક કારે 9 લોકોને કચડી (Jaipur Hit and Run) નાખ્યા હતા. જેમાં 2 લોકોના મોત થયા છે અને કારની ટક્કરથી 7 અન્ય લોકો ઘાયલ થયા હતા. કાર ચાલકે સામે આવતી દરેક વસ્તુને ટક્કર મારી. કાર રસ્તા પર પાર્ક કરેલા વાહનો અને અનેક ટુ-વ્હીલર્સને પણ ટક્કર મારી હતી. બાદમાં કાર ચાલક વાહન મૂકીને ભાગી ગયો હતો. આ ઘટના બાદ, સેંકડો લોકો સ્થળ પર એકઠા થઈ ગયા અને શેરીઓમાં વધુ ઝડપે વાહનો ચલાવવા બદલ ગુસ્સે ભરાયા. જ્યારે પોલીસ કારને પોલીસ સ્ટેશન લાવી રહી હતી, ત્યારે ટોળાએ તેમાં તોડફોડ કરી. ભીડ હિંસક બનતી જોઈને નજીકના પોલીસ સ્ટેશનોમાંથી પોલીસ ફોર્સ બોલાવવામાં આવી.

ડીસીપીએ કહ્યું કે ડ્રાઈવર નશામાં હતો
ડીસીપી રાશિ ડોગરા ડડીએ જણાવ્યું હતું કે કાર ચાલક ઉસ્માન ખાન (55 વર્ષ), જે શાસ્ત્રીનગરનો રહેવાસી છે, તેની ધરપકડ કરવામાં આવી છે. ડ્રાઈવર નશામાં હતો. ડ્રાઈવર પકડાયાના સમાચાર મળતાં લોકો શાંત થઈ ગયા. આરોપી ડ્રાઈવર ઉસ્માન ખાન વિશ્વકર્મામાં લોખંડની ફેક્ટરી ધરાવે છે તેવું કહેવાય છે.

રસ્તો બન્યો લોહી લુહાણ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કાર ચાલકે પહેલા નાહરગઢ પોલીસ સ્ટેશન ચોકડી પર સ્કૂટર અને રાહદારીને ટક્કર મારી હતી. આ પછી તેણે કાર સંતોષી માતા મંદિર તરફ હંકારી. ત્યાં, એક બાઇક અને એક રાહદારીને ટક્કર મારી. પછી થોડે આગળ જઈને તેણે એક વ્યક્તિને ટક્કર મારી અને કાર છોડીને ભાગી ગયો. કારે બે લોકોને કચડી નાખ્યા, જેના કારણે આખા રસ્તા પર લોહી ફેલાયું હતું. લોહી જોઈને લોકો ગુસ્સે થઈ ગયા હતા. અકસ્માતમાં કારની આગળ એક બાઇક ફસાઈ ગઈ. જ્યારે બાઇક ફસાઈ ગઈ, ત્યારે ડ્રાઇવરે કાર ભગાડી દીધી. આના કારણે રસ્તા પર તણખા નીકળવા લાગ્યા અને લોકો ડરી ગયા હતા.

અત્યાર સુધીમાં 3 લોકોના મોત
જયપુર હિટ એન્ડ રન કેસમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે. આજે સવારે એક મૃત્યુ થયું. આ પહેલા કારે કચડી નાખતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બીજા વ્યક્તિને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તે પછી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો.

પોલીસકર્મીઓએ કહ્યું, ધડાકો સાંભળીને તેઓ બહાર દોડી ગયા
નાહરગઢ પોલીસ સ્ટેશનના પોલીસે જણાવ્યું કે તેમણે ધડાકો સાંભળ્યો અને બહાર જોવા ગયા, પરંતુ ત્યાં સુધીમાં કાર ચાલકે સ્કૂટરને ટક્કર મારી દીધી હતી અને એક રાહદારીને પણ ટક્કર મારી દીધી હતી. તે ખૂબ જ ઝડપે કાર ચલાવી રહ્યો હતો, જે પણ તેના રસ્તામાં આવતો તેને ટક્કર મારી રહ્યો હતો.

એમઆઈ રોડ પર પણ…
એમઆઈ રોડ પર ટકરાયા પછી, એવું જાણવા મળ્યું કે ડ્રાઈવરે કાર કિશનપોલ બજાર, છોટી ચૌપડ અને ગંગૌરી બજાર થઈને નાહરગઢ પોલીસ સ્ટેશન તરફ હંકારી. પોલીસ ચકાસણી કરી રહી છે.

ડ્રાઇવરની તબીબી તપાસ કરવામાં આવી
ડ્રાઇવરની તબીબી તપાસ કરવામાં આવી છે. રસ્તાઓ પર વધુ ઝડપે વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ લોકોના મોત થયા, આ લોકો ઘાયલ થયા
નાહરગઢ પોલીસ સ્ટેશન નજીક લાલદાસ કા બડાના રહેવાસી અવધેશ પારીક (35) અને શાસ્ત્રી નગરની રહેવાસી મમતા કંવર (50)નું મૃત્યુ થયું હતું. મમતાના ભાઈ વીરેન્દ્ર સિંહ (45 વર્ષ), સંતોષી માતા મંદિરની પાછળ રહેતો મોનેશ (28 વર્ષ), દીપિકા સોની (17 વર્ષ), માનબાગની શારદા કોલોનીમાં રહેતો મોહમ્મદ જલાલુદ્દીન (44 વર્ષ), ગોવિંદરાવ જી કા રસ્તામાં રહેતો વિજય નારાયણ (65 વર્ષ), ઝેબુનીશા (20 વર્ષ), 20 વર્ષીય અંશીકા (20 વર્ષ) ઘાયલ થયા છે. આમાંથી વીરેન્દ્ર સહિત બેની હાલત ગંભીર છે. ઘાયલોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.

લોકો પોતાના સભ્યોને શોધવા હોસ્પિટલ પહોંચ્યા
બીજી તરફ, પોલીસ પાસેથી માહિતી મળ્યા બાદ, લોકો તેમના પ્રિયજનોને શોધવા માટે SMS હોસ્પિટલ પહોંચ્યા. ટ્રોમા સેન્ટરમાં ભીડ હોવાથી, હોસ્પિટલના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા અને લોકોને બહાર રોકવામાં આવ્યા હતા. આ કારણે, ઘણા લોકો તેમના સંબંધીઓની શોધમાં અહીં-ત્યાં ભટકતા રહ્યા હતા.