દ્વારકાધીશનાં દર્શનાર્થે જઈ રહેલ નવી નક્કોર કાર પલટી મારી જતા પતિ-પત્નીનાં ઘટનાસ્થળે જ થયા કમકમાટીભર્યા મોત

અકસ્માતની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે ત્યારે હાલમાં આવી જ એક અકસ્માતની ગંભીર ઘટના સામે આવી રહી છે. જામનગર રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે કે, જેમાં વડોદરાના પતિ પત્નીના મોત થયા હતાં તેમજ કુલ 4 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

ટંકારા જામનગર રોડ પર સાવડી ગામ નજીક હાઇવે પરથી નવી અર્ટિગા લઇને પરિવાર દ્વારકાધીશના દર્શન કરવાં માટે જઇ રહ્યાં હતા. આ દરમિયાન કારની સામે કુતરું આવી જવાને લીધે બ્રેક મારતા જ કાર પલટી મારી ગઇ હતી. જેમાં પતિ વિક્કીભાઈ જગદીશભાઈ ચૌહાણ તથા તેની પત્ની રાધિકાબેન વિક્કીભાઈ ચૌહાણનું ઘટનાસ્થળ પર જ મોત થયું છે. જ્યારે અન્ય કુલ 4 લોકો ઇજાગ્રસ્ત છે.

મળી રહેલ જાણકારી મુજબ ટંકારામાં આવેલ લતીપર રોડ પર સાવડી ગામ થઇને કારમાં સવારમાં 4 વાગ્યાની આસપાસ વડોદરાથી દર્શન કરવા માટે દ્રારકા જઈ રહ્યાં હતા. આ દરમિયાન રોડ પર કુતરૂં આવી જતા સ્ટિયરિંગ પર કાબુ ગુમાવી દેતા અર્ટિગા કાર પલટી મારી જતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની આ ઘટનામાં વિક્કીભાઈ જગદીશભાઈ ચૌહાણ તેમજ તેમની પત્ની રાધિકાબેન વિક્કીભાઈ ચૌહાણનું ધટનાસ્થળ પર જ કમકમાટી ભર્યું મોત થયું હતું. તેમની સાથે કારમાં જઇ રહેલ અનિલભાઈ મોરી, દક્ષાબેન અનિલભાઈ મોરી. આર્યબેન ચૌહાણ તથા ચંદનબેન રમેશભાઈ મોરીને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારપછી ટંકારા 108ના વલ્લભભાઈ લાઠીયાએ સારવાર ચાલુ કરીને પાયલોટ કેતનસિંહ જાડેજાની મદદથી રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *