તમારા ઘરમાં ગંગાજળ હોય તો આ સાવચેતી રાખવી ખુબ જ જરૂરી છે, નહીંતર

હિન્દુ ધર્મમાં ગંગા નદી ખૂબ પવિત્ર અને આદરણીય માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર ગંગામાં સ્નાન કરવાથી તમામ પાપોથી મુક્તિ મળે છે. ગંગાજળ વિના પૂજાના કાર્યો અધૂરા માનવામાં આવે છે. ગંગાના પાણીને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. પરંતુ ગંગાજાળને ઘરમાં રાખવું ખૂબ જ જરૂરી છે. આજે જાણો, ગંગાજળને ઘરે રાખતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ.

મોટાભાગના લોકો ગંગાજળને પ્લાસ્ટિકની બોટલમાં રાખે છે, જે ખોટું છે. ગંગાજળ હંમેશાં રૂપેરી અથવા તાંબાનાં વાસણમાં ભરવું જોઈએ. ગંગા જળનો ઉપયોગ પવિત્ર કાર્યોમાં થાય છે. તેથી, તમારા ઘરમાં ગંગાજળ હોય તો માંસ અને દારૂનું સેવન ન કરો.

ઘરની ઉત્તર દિશા દેવતાઓનું સ્થાન માનવામાં આવે છે. તેથી ગંગાજલળને ઘરની આ દિશામાં રાખવી શુભ માનવામાં આવે છે. ગંગા નદીની જેમ, તેનું પાણી પણ પવિત્ર જળ માનવામાં આવે છે. ગંગાજળને ઘરમાં આમ-તેમ (ગમે તે જગ્યાએ) રાખવું તે અશુભ માનવામાં આવે છે. ગંગાજલને હંમેશાં ઘરના પૂજા સ્થળે રાખો.

જો તમે ગંગા જળને બીજા રૂમમાં રાખો છો તો ત્યાં સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખો. ગંગાજળને ક્યારેય અશુદ્ધ અથવા ગંદા સ્થળે ન રાખવું જોઈએ. ગંગાના પાણીને ક્યારેય અંધારાવાળી જગ્યાએ ન રાખશો. આ કરવાથી, ઘરમાં નકારાત્મક ઉર્જા રહે છે. ગંગાજળ વાપરતા પહેલા હાથને સારી રીતે ધોઈ લો. ભૂલથી પણ ગંગાજળને ગંદા હાથથી સ્પર્શવું જોઈએ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *