રમઝાનમાં પહેલા કરતા વધારે ઈબાદત કરીએ જેથી ઈદ પહેલા કોરોના દુર થાયઃ પીએમ મોદી

પીએમ મોદીએ મન કી બાતમાં રમઝાનના પવિત્ર મહિનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પીએમ મોદીએ આજે મન કી બાતમાં કહ્યુ હતુ કે, રમઝાનનો પવિત્ર મહિનો શરુ થઈ ગયો છે. કોઈએ વિચાર્યુ નહી હોય કે, રમઝાનમાં આટલી મોટી મુસિબત આવશે પણ જ્યારે વિશ્વમાં કોરોના વાઈરસની મુસિબત છે જ ત્યારે આપણે સેવાભાવનુ ઉદાહરણ રજુ કરવાનુ છે.આપણે પહેલા કરતા વધારે ઈબાદત કરીએ કે જેથી ઈદ પહેલા આ બીમારી ખતમ થઈ જાય અને ધૂમધામથી ઈદ મનાવી શકાય.

આ પહેલા મોદીએ આજે અખાત્રીજનો પણ ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે, આજના દિવસે પાંડવોને અક્ષયપાત્ર પ્રાપ્ત થયુ હતુ.જેમાં ક્યારેય ભોજન ખતમ નહોતુ થતુ. ખેડૂતો પણ એ જ વિચારીને મહેનત કરતા હોય છે કે, કોઈની પાસે ભોજન ઓછુ ના થાય. આજના દિવસે આપણે પર્યાવરણ, જંગલ અને નદીઓ અંગે પણ વિચારવાની જરૂર છે. જો તે જીવતા હશે તો આપણે જીવતા રહીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *