ખાલી પ્લોટમાંથી બે નવજાત બાળક એવી હાલતમાં મળી આવ્યા કે.., CCTV ના આધારે પોલીસની ટીમ થઈ દોડતી

ગ્વાલિયર: તાજેતરમાં ગ્વાલિયરમાંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ખાલી પ્લોટમાં બે ભ્રૂણ મળી આવ્યા હતા. જેના કારણે વિસ્તારમાં સનસનાટી મચી ગઈ…

ગ્વાલિયર: તાજેતરમાં ગ્વાલિયરમાંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ખાલી પ્લોટમાં બે ભ્રૂણ મળી આવ્યા હતા. જેના કારણે વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસે નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરાની શોધખોળ કરી. પરંતુ, કશું મળ્યું નહીં. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જાણવા મળ્યું છે કે, ગ્વાલિયરના ડાબરા દેહત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિનોર રોડ પર ભાજપના પૂર્વ મહિલા અને બાળ વિકાસ મંત્રી ઇમર્તિ દેવીના ઘરની સામે એક ખાલી પ્લોટ છે. જેમાં બે નવજાત બાળકો મળી આવ્યા છે. જ્યારે નજીકના લોકોએ આ ભ્રૂણો જોયા, ત્યારે તેઓએ તરત જ પોલીસ સ્ટેશનને જાણ કરી.

જેથી પોલીસ અને ફોરેન્સિક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ બાદ પોલીસે બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ હાઉસમાં મોકલી આપ્યા હતા. પોલીસે નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરાની શોધખોળ કરી હતી પરંતુ કોઈ કડી મળી શકી ન હતી.

પોલીસનું કહેવું છે કે, અમે તપાસ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં આ ગેરકાયદેસર ભ્રૂણ હત્યા કેસમાં ખુલાસો કરવામાં આવશે. કારણ કે, આવા ગુનાઓ કરનાર આરોપીઓને બિલકુલ બક્ષવામાં આવશે નહીં. ગર્ભ હત્યા એક ગંભીર ગુનો છે અને તેના સહયોગ કરનારાઓ પણ આ ગુનામાં સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *