ભારત ના આ ચાર મંદિરોમાં પુરુષો માટે પ્રવેશ પર છે પ્રતિબંધ, માત્ર મહિલાઓને જ પૂજા કરવાનો છે અધિકાર

બ્રહ્મા મંદિર, રાજસ્થાન : ભગવાન બ્રહ્માનું આ મંદિર રાજસ્થાન ના પુષ્કરમાં છે. તે 14 મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. સરસ્વતી દેવીના શ્રાપને લીધે, પરિણીત પુરુષોને આ મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી. તેઓ મંદિરના આંગણામાંથી જ દર્શન કરી શકે છે અને ફક્ત મહિલાઓ જ મંદિરમાં જય શકે છે છે અને પૂજા-અર્ચના કરે છે.

ભગવતી દેવી મંદિર, કન્યાકુમારી : આ દેવી ભગવતીનું મંદિર છે. એવું કહેવામાં આવે છે કે માતા ભગવતી એકવાર ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે તપશ્ચર્યા કરવા અહીં આવ્યા હતા. ભગવતી માતાને સન્યાસી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેથી સંન્યાસી માણસો મંદિરના દ્વાર પરથી માતાના દર્શન કરી શકે છે. બીજી બાજુ, પરિણીત પુરુષોને આ મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી, અહીં ફક્ત મહિલાઓ જ પૂજા કરી શકે છે.

સંતોષી માતા નું મંદિર, જોધપુર: શુક્રવારે આ મંદિરમાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ છે. આખો દિવસ પુરુષો પણ આ મંદિરના દરવાજેથી માતાના દર્શન કરી શકે છે, તેમને અહીં ક્યારેય પણ માતાની પૂજા કરવાની છૂટ નથી.

કામાખ્યા મંદિર, ગુવાહાટી: માતાના તમામ શક્તિપીઠોમાં, કામાખ્યા શક્તિપીઠનું સ્થાન ટોચ પર છે. માતાના માસિક સ્રાવના દિવસોમાં અહીં તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આ દરમિયાન, મંદિરમાં પુરુષોના પ્રવેશ પર સખત પ્રતિબંધ છે. આ સમય દરમિયાન પણ માત્ર એક સ્ત્રી પુજારીનું કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *