દુલ્હનની શોધમાં ફરી રહ્યો હતો આધેડ, લગ્ન માટે કોઇ કન્યા ન મળી તો…

બિહાર: હાલમાં બિહારમાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક આધેડની સાથે કોઇપણ લગ્ન કરવા તૈયાર નહોતું. તેની ઉંમર પસાર થતી જઇ રહી હતી. તેને લઇ ગામમાં પણ ખૂબ ચર્ચા થતી. આ દરમિયાન આધેડને એક કિન્નર જોડે પ્રેમ થઇ ગયો. ત્યારબાદ તેણે લગ્ન કરી લીધા. લગ્ન કર્યા બાદ આધેડે ગામના લોકોને માછલી અને ભાતનો ભોજનની દાવત પણ આપી. પરંતુ, સાંજ થતાં કિન્નર આધેડને છોડી ઘરેથી ફરાર થઇ ગઇ.

આ કિસ્સો બિહારના છપરા જિલ્લાનો છે. જ્યાંના રહેવાસી મહાવીર છેલ્લા ઘણા સમયથી એકલા હતા. તેમના લગ્ન નહોતા થયા. તેઓ આધેડ ઉંમરે પહોંચી ગયા હતા. જેથી તેમને ઘણાં સમયથી દુલ્હનની શોધ હતી. પણ તેમની સાથે કોઇ લગ્ન કરવા તૈયાર થતું નહોતું. તેની વચ્ચે તેમની નજીક 4 વર્ષથી રહેતા એક કિન્નર સાથે પ્રેમ થઇ ગયો. ગામના લોકોને જ્યારે આ વાતની જાણ થઇ તો તેમના લગ્ન કરાવી આપ્યા.

ધામધૂમથી મહાવીરના લગ્ન આ કિન્નર જોડે થયા. તેને વહુ બનાવી મહાવીર ઘરે લઇ આવ્યો. પણ છેવટે ખબર પડી કે, આ બધું ગામના લોકોએ મળીને મહાવીર સાથે મજાક કર્યું હતું. મહાવીર મંદબુદ્ધિનો વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે. તે ગામમાં એકલો રહે છે. તેના બે ભાઇ બનારસમાં રહે છે. લગ્નની ખુશીમાં મહાવીરે ગામના લોકોને દાવત આપી. ત્યારબાદ સાંજે કિન્નર ઘરેથી ભાગી નીકળી. આ વિશે કિન્નર સમાજના નેતા ચંચલ તિવારીએ જણાવ્યું કે, તેમને આવી વાતની જાણકારી નથી. જો આવું બને તો તે નકલી કિન્નર હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *