વરયાત્રા બની અંતિમયાત્રા: જાણો ક્યાં બની ગોઝારી ઘટના જ્યાં હરખનો પ્રસંગ બન્યો માતમનો

હાલમાં હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં સોમવારે જાનૈયાને લઇ જતી મીની બસ એક ઊંડા ખાડામાં ખાબકી હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં 10 લોકોનાં મોત અને 2 લોકો ઘાયલ થયા છે. શિલ્લઇ સબ-ડિવિઝનના એસડીએમ સુરેશ સિંહાએ જણાવ્યું હતું કે, જાનૈયાને લઇને આવતી મીની બસ પાશોંગ નજીક ઊંડા ખાડામાં પડી હતી. આ સ્થાન પોટા સાહિબ અને સીલ્લૈ સબ ડિવિઝનની બોર્ડર પર આવેલું છે.

આ અકસ્માત એટલો દુઃખદાયક હતો કે 9 જાનૈયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે એક ઇજાગ્રસ્ત વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતા માર્ગમાં મોત નીપજ્યું હતું. વાહનમાં કુલ 12 લોકો હતા. પોંટા સાહેબના એસડીએમ વિવેક મહાજને જણાવ્યું કે, તેઓ તે વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એમ્બ્યુલન્સ જોઇને ઘટનાની જાણ થઇ હતી. ઈજાગ્રસ્તોની સારી સારવાર માટે તેઓ પોંટા સાહેબ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

આ માટે હોસ્પિટલના વરિષ્ઠ તબીબોને બોલાવાયા હતા. પોંટા સાહિબ હોસ્પિટલમાં લાવવામાં આવતા, ઇજાગ્રસ્ત બેમાંથી એકનું માર્ગમાં મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્તોમાં એકની શિલ્લઈ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોંટા સાહેબના ડીએસપી બીર બહાદુર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જય રામ ઠાકુરે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ભગવાનને પ્રાર્થના કરી છે કે તેઓ તેમની આત્માને શાંતિ આપે. ઠાકુરે જિલ્લા પ્રશાસનને અસરગ્રસ્ત પરિવારોને તમામ શક્ય મદદ અને અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારી સારવાર મળે તે માટે નિર્દેશ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *