આજે છે મોક્ષદા એકાદશી, મોક્ષની પ્રાપ્તિ માટે આ કથાનો પાઠ કરવાથી તમામ મનોકામનાઓ થશે પૂર્ણ

એવું કહેવાય છે કે મોક્ષદા એકાદશી(Mokshada Ekadashi 2021) વ્રત 2021નું વ્રત કરવાથી પિતૃઓને પણ વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. આ વખતે મોક્ષદા એકાદશી આજે છે. એવું માનવામાં આવે છે કે મોક્ષદા એકાદશીના દિવસે પૂજા અને વ્રત વગેરે કરવાથી પાપોનો નાશ થાય છે. આ સાથે તે વ્યક્તિને મૃત્યુ પછી મોક્ષ પણ મળે છે. એવું માનવામાં આવે છે કે મોક્ષદા એકાદશીના દિવસે વ્રત સમયે આ કથાનો પાઠ અવશ્ય કરવો, તેનાથી ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે સાથે જ તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. શાસ્ત્રોમાં આ એકાદશીને મોક્ષ આપનારી એકાદશી માનવામાં આવી છે. માન્યતા અનુસાર દ્વાપર યુગમાં આ દિવસે ભગવાન કૃષ્ણે કુરુક્ષેત્રમાં અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું.

મોક્ષદા એકાદશી વ્રત કથા:
દંતકથા અનુસાર ગોકુળમાં વૈખાનસ નામનો રાજા રહેતો હતો. તેણે એક રાત્રે સપનું જોયું કે તેના પિતા તેના મૃત્યુ પછી નરકની યાતનાઓ સહન કરી રહ્યા છે. પિતાના સપનામાં આવી હાલત જોઈને તેઓ ખૂબ જ દુઃખી થયા, જેના પછી બીજા દિવસે સવારે તેમણે રાજ પુરોહિતને બોલાવીને પિતાના મોક્ષનો માર્ગ પૂછ્યો. આના પર રાજ પુરોહિતે કહ્યું કે આ સમસ્યાનો એક જ ઉપાય છે, માત્ર પર્વત નામના મહાત્મા જ તેનો ઉકેલ લાવી શકે છે, કારણ કે તે ત્રિકાલદર્શી છે, ત્યારબાદ રાજા પર્વત મહાત્માના આશ્રમમાં પહોંચ્યા અને તેમના પિતાની મુક્તિનો માર્ગ પૂછ્યો. રાજાના પૂછવા પર મહાત્મા પર્વતે કહ્યું કે, તેમના પિતાએ તેમના પાછલા જન્મમાં પાપ કર્યું હતું, જેના કારણે તેઓ નરક ભોગવી રહ્યા છે.

આના પર રાજાએ મહાત્મા પર્વતથી પાપમાંથી મુક્તિ વિશે જાણવાની ઈચ્છા કરી, તો મહાત્માએ કહ્યું કે માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે મોક્ષદા એકાદશીનું વ્રત કરો અને પદ્ધતિ પ્રમાણે પૂજા કરો. આ એકાદશીનું વ્રત કરવાથી જ તમારા પિતાને મોક્ષ મળે છે. મહાત્માની વાત સાંભળીને રાજાએ મોક્ષદા એકાદશીનું ઉપવાસ અને પૂજન કર્યું. આ વ્રત અને પૂજાના પુણ્ય પ્રભાવથી રાજાના પિતાને મોક્ષ મળ્યો અને મુક્ત આત્માએ રાજાને આશીર્વાદ આપ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *