મચ્છરો કેમ માણસનું લોહી પીવે છે? કારણ જાણી ચોંકી ઉઠશો

શું તમે જાણો છો શા માટે મચ્છર તમારું લોહી ચૂસે છે? તેઓ લોહી પીવાની ટેવમાં કેવી રીતે ગયા? વૈજ્ઞાનિકોએ જવાબ શોધી કાઢ્યો છે.  તેના પાછળનું કારણ જાણીને તમે આશ્ચર્ય પામશો. કારણ કે વિશ્વની શરૂઆતમાં મચ્છરો લોહી પીવા માટે ટેવાયેલા નહોતા. તે ધીરે ધીરે બદલાતા ગયા હતા.

મચ્છરોએ મનુષ્ય અને અન્ય પ્રાણીઓનું લોહી પીવાનું શરૂ કર્યું કારણ કે તેઓ શુષ્ક સ્થિતિમાં રહેતા હતા. જ્યારે પણ હવામાન શુષ્ક હોય છે અને મચ્છરોને તેમના સંવર્ધન માટે પાણી મળતું નથી, ત્યારે તેઓ મનુષ્ય અથવા પ્રાણીઓનું લોહી ચૂસવાનું શરૂ કરી દે છે.

ન્યુ જર્સીની પ્રિન્સટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આફ્રિકામાં એડીસ એજિપ્ટીના મચ્છરોનો અભ્યાસ કર્યો. આ તે જ મચ્છર છે જેના કારણે ઝીકા વાયરસ ફેલાય છે. તેના કારણે જ ડેન્ગ્યુ અને તાવ આવે છે.

ન્યૂ સાયન્ટિસ્ટમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ આફ્રિકાના મચ્છરોમાં એડીસ એજિપિટી મચ્છરની ઘણી પ્રજાતિઓ છે. બધી જાતિના મચ્છર લોહી પીતા નથી. તેઓ ઘણી બધી અન્ય વસ્તુઓ ખાઈને પોતાનું જીવન પસાર કરે છે.

પ્રિંસ્ટન યુનિવર્સિટીના સંશોધનકર્તા નુહ રોઝ કહે છે કે મચ્છરોની જુદી જુદી જાતિના આહારનો આજ સુધી કોઈએ અભ્યાસ કર્યો નથી. અમે આફ્રિકાના સબ-સહારન ક્ષેત્રમાં 27 સ્થળોએથી એડીસ એજીપ્પ્ટી મચ્છર ઇંડા લીધાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *