નરેન્દ્ર મોદીને માતાજીમાં રહેલી છે અતુટ શ્ર્ધ્ધા: પ્રસન્નતા માટે છેલ્લા 42 વર્ષથી આ નિયમનું કરી રહ્યા છે પાલન

ગુજરાત(Gujarat): સમગ્ર રાજ્યમાં ગઈકાલથી નવલી નવરાત્રિ (Navratri) ની શુભ શરૂઆત થઈ ચુકી છે. પહેલા જ નોરતે દર વર્ષે અમદાવાદ(Ahmedabad) નાં વસ્ત્રાપુર(Vastrapur) વિસ્તારનાં GMDC ગ્રાઉન્ડમાં રાજ્યકક્ષાનો…

ગુજરાત(Gujarat): સમગ્ર રાજ્યમાં ગઈકાલથી નવલી નવરાત્રિ (Navratri) ની શુભ શરૂઆત થઈ ચુકી છે. પહેલા જ નોરતે દર વર્ષે અમદાવાદ(Ahmedabad) નાં વસ્ત્રાપુર(Vastrapur) વિસ્તારનાં GMDC ગ્રાઉન્ડમાં રાજ્યકક્ષાનો નવરાત્રિ મહોત્સવ ઊજવવામાં આવેતો હોય છે કે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી આરતી કરીને મહોત્સવનો પ્રારંભ કરાવે છે.

જયારે કોરોનાને લીધે ગત વર્ષ દરમિયાન નવરાત્રિનું આયોજન થઈ શક્યું ન હતું જેથી શરુ વર્ષે પણ રાજ્ય સરકારે શેરી ગરબાની જ મંજુરી આપી છે કે, જેથી આ વર્ષ દરમિયાન રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલે નગરદેવી ભદ્રકાળી માતાની આરતી ઉતારી હતી. નરેન્દ્ર મોદીથી લઈને ભૂપેન્દ્ર પટેલ સુધી ગુજરાતના મુખ્યમંત્રીઓને માતાજીમાં અતૂટ શ્રદ્ધા રહેલી છે.

પટેલ સરકારના મંત્રીઓ નોરતાંમાં માતાઓના ધામમાં જશે:
ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના સભ્યો પણ પહેલા નોરતાથી જ અનેકવિધ યાત્રાધામમાં ઉપસ્થિત રહીને આરતી-પૂજન કાર્યક્રમમાં સહભાગી થશે. જ્યારે પટેલ સરકારના મંત્રીઓ ઉમિયાધામથી લઈને માતાના મઢ સુધીના માતાઓના ધામમાં જશે.

કેશુભાઈએ પહેલી વખત નવરાત્રિ વેકેશન જાહેર કર્યું:
ભાજપના સૌપ્રથમ CM કેશુભાઈ પટેલની વર્ષ 1995માં સૌપ્રથમવખત સરકાર બની હતી. સરકાર બન્યા પછી તેમણે સૌપ્રથમવખત શાળાઓમાં નવરાત્રિ વેકેશનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, 2 વર્ષ પછી આ નિર્ણય કોઈ કારણસર પાછો ખેંચવામાં આવ્યો હતો.

ઉપવાસ રાખીને PM મોદી નગરદેવીનાં દર્શને જતા:
ગુજરાતના CM રહી ચૂકેલા તેમજ હાલમાં PM નરેન્દ્ર મોદી તેમજ માઈભક્તિ વચ્ચે અનોખો સંબંધ રહેલો છે. નવરાત્રિ વખતે શહેરના નગરદેવીનાં દર્શને જતા હતા. તેઓ છેલ્લા 42 વર્ષથી નવરાત્રિમાં ઉપવાસ કરી રહ્યા છે. વર્ષ 2013માં તેમણે ‘ગાય તેનો ગરબો’ પણ લખ્યો હતો.

પોતાના ઉપવાસ અંગે મોદી વધુ વાત કરતા નથી પણ વર્ષ 2012માં પોતાના બ્લોગમાં સૌપ્રથમવાર નવરાત્રિના ઉપવાસ અંગે કહ્યું જણાવ્યું હતું. નવ દિવસના ઉપવાસ વખતે તેઓ દિવસમાં ફક્ત એક જ ફળ ખાય છે તેમજ સાંજનાં સમયે લીંબુ પાણી જ પીવે છે. ઉપવાસ વખતે વડાપ્રધાન વ્યસ્ત દિનચર્યા હોવા છતાં દરરોજ સવારેમાં પૂજા જરૂરથી કરે છે.

મોદીના ઉપવાસની આંતરરાષ્ટ્રીય સ્તરે લેવાઈ હતી નોંધ:
વર્ષ 2014માં PM બન્યા પછી તેઓ અમેરિકાના પ્રવાસે ગયા ત્યારે ત્યાં તેમણે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ ઓબામાની સાથે ડિનરમાં ફક્ત ગરમ પાણી પીધું હતું. મોદીના આ ઉપવાસની નોંધ વોલસ્ટ્રીટ જનરલથી લઈને વોશિંગ્ટન પોસ્ટ સહિતનાં આંતરરાષ્ટ્રીય અખબારો દ્વારા લેવાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *