ભાજપ, કોંગ્રેસ કે આપ? કોના થશે નરેશ પટેલ? આ તારીખ પહેલા કરી શકે મોટું ‘એલાન’

ગુજરાત(Gujarat): ખોડલધામ(Khodaldham) પ્રમુખ નરેશ પટેલ(Naresh Patel)ના રાજકારણમાં પ્રવેશને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election)ને લઈને નરેશ પટેલ રાજકારણમાં આવવાની ચર્ચાઓ મહત્વની…

ગુજરાત(Gujarat): ખોડલધામ(Khodaldham) પ્રમુખ નરેશ પટેલ(Naresh Patel)ના રાજકારણમાં પ્રવેશને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election)ને લઈને નરેશ પટેલ રાજકારણમાં આવવાની ચર્ચાઓ મહત્વની માનવામાં આવે છે, પરંતુ તેમ છતાં હજુ સુધી સ્પષ્ટ થઇ ચુક્યું નથી. નરેશ પટેલે તેમના રાજકારણમાં પ્રવેશ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. AAP, કોંગ્રેસ અને ભાજપ એમ ત્રણેય પક્ષોના સંપર્કમાં છે. ત્રણેય પક્ષો સાથે બેઠક કરી રહ્યા છે પરંતુ ક્યા પક્ષમાં જોડાવું તે હજુ નક્કી નથી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશવાના નિર્ણયની રાજ્યભરમાં ચર્ચા થઈ રહી છે અને નરેશ પટેલ 20 એપ્રિલ પહેલા રાજકારણમાં પ્રવેશની જાહેરાત કરશે જાણવા મળી રહ્યુ છે. નરેશ પટેલ રાજકારણમાં જોડાવું કે નહીં તેની જાહેરાત કરશે. તેઓ 15 એપ્રિલે સર્વેના પરિણામો બાદ કઈ પાર્ટીમાં જોડાવું તે અંગેની જાહેરાત કરી શકે છે. એટલે કે વિધાનસભાની ચૂંટણી પહેલા કંઈક નવું અને જૂનું થવાનું નિશ્ચિત છે. ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલે કોંગ્રેસ, ભાજપ અને AAPના નેતાઓ સાથે બેઠક યોજી ચુક્યા છે.

રાજકારણમાં જોડાવવાની હજુ વાર છે- નરેશ પટેલ
અત્રે ઉલ્લેખનીય છે કે, ખોડલધામમાં નરેશ પટેલ અને અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠકને લઈને નરેશ પટેલ અને અનુસૂચિત જાતિના નેતાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જેમાં નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, અનુસૂચિત સમાજના આગેવાનોને સાથે શુભેચ્છા મુલાકાત થઇ.વધુમાં કહ્યું હતું કે, દિલ્હી પ્રવાસને લઈને હજુ કંઈ નક્કી નથી. રાજકારણમાં જોડાવવાનો હજુ સમય આવ્યો નથી.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *