હત્યાનો સિલસિલો યથાવત: જાહેરમાં જ ચપ્પુના ઘા ઝીંકીને કરાઈ યુવાનની કરપીણ હત્યા, પરિવારે ગુમાવ્યો એકનો એક દીકરો

હાલમાં રાજ્યના સુરત શહેરમાંથી હત્યાની અન્ય એક ઘટના સામે આવી છે. શહેરમાં આવેલ ઉધના સોનલ ઈન્ડસ્ટ્રી પાસે જાહેરમાં 24 વર્ષનાં યુવાનની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. હુમલાખોર ગુરુજીતસિંહ ચિકલીકર નામના યુવકને ચપ્પુના 4 જેટલા ઘા ઝીંકીને ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે.

અજાણ્યાઓએ ચપ્પુથી હુમલો કરી યુવકને પતાવી દીધો:
ઉધના વિસ્તારનાં પ્રભુનગરમાં ગુરુજીતસિંહ જગદીશસિંહ ચિકલીગર પરિવાર સાથે રહેતો હતો તેમજ પરિવારનો એકનો એક દીકરો હતો. ઘર પાસેમાં જ મટનની દુકાન ચલાવી રહ્યો હતો. આજે ઉધનામાં જ સોનલ ઈન્ડસ્ટ્રી પાસે જાહેરમાં ગુરુજીતસિંહ પર અજાણ્યાઓએ ચપ્પુથી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવકને ચપ્પુના 4 જેટલા ઘા ઝીંકીને ભાગી ગયા હતા.

હત્યાને કારણે વાતાવરણ તંગ થઈ ગયું:
ઘટનાની જાણ થતાની સાથે જ સમાજના લોકો હાથમાં હથિયાર સાથે રિક્ષાઓ ભરીને ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. આ દરમિયાન ભારે તણાવની વચ્ચે યુવકને સિવિલમા લઈ જવામાં આવ્યો હતો. જો કે, સિવિલમાં ફરજ હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કરતા વાતાવરણ ગમગીન બન્યું હતું.

હત્યા પાછળનું કારણ હાલ અકબંધ:
યુવકની હત્યા કરવા પાછળનું હાલમાં કોઈ કારણ સામે આવ્યું નથી. જ્યારે સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં એકના એક દીકરાના મૃતદેહ છોડીને પરિવાર હુમલાખોરોને શોધવા માટે નીકળી પડ્યો છે. પરિવાર હુમલાખોરોની જાણ માટે પોલીસની સાથે CCTV ચેક કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *