અમરેલીના બગસરા પાસે સર્જાયો ત્રિપલ અકસ્માત, બે બાઈક અને કાર વચ્ચે ટક્કર થતા એકનું મોત- ત્રણ ઘાયલ

ગુજરાત(Gujarat): અમરેલી(Amreli) જિલ્લામાથી આજે અકસ્માત(Accident)ની એક ઘટના સામે આવી છે. જેમાં બગસરા જેતપુર રોડ(Bagasara Jetpur Road) બાયપાસ નજીક બે બાઇક અને એક કાર વચ્ચે ત્રિપલ અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર હાલતમાં સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, બગસરાના જેતપુર રોડ બાયપાસ પાસે સાંજના સમયે એક કાર અને બે બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત હતો. માણેકવાડા તરફથી આવી રહેલી મોટરકારના ચાલકે બગસરાથી માણેકવાડા બાજુ જઇ રહેલા બે બાઇક સવારોને જોરદાર ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં લખુભાઇ દેવશીભાઇ સતાસિયા (ઉંમર વર્ષ 40 રહેવાસી નાનામુંજીયાસર)નું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની વર્ષાબેન લખુભાઇ સતાસિયા (ઉંમર વર્ષ 40) અને મનસુખભાઈ ગોબરભાઇ માળવી (ઉંમર વર્ષ 35 રહેવાસી મેઘાણીનગર બગસરા) તેમજ તેમનો પુત્ર દીપ (ઉંમર વર્ષ 6)ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને બગસરાના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને વધુ સારવાર માટે અમરેલી રિફર કરી દેવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, નાના મુંજીયાસર રહેવાસી લખુભાઇ તેમજ તેમના પત્ની આજે મતદાન કરવા માટે પોતાના વતન નાનામુંજીયાસરમાં હજુ સવારે જ આવેલા હતા અને સાંજના સમયે પરત સુરત જઈ રહ્યા હતા. તે પૂર્વે જ લખુભાઇ સતાસીયાને કાળ ભરખી ગયો હતો. પોલીસ દ્વારા અમદાવાદના વાહનચાલક ભૂમિત નગીનભાઈ જીકાણી વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *