ગુજરાતમાં ધોરણ 1થી 9નું ઓફલાઈન શિક્ષણ શરુ થશે? જાણો શું વિચારી રહી છે સરકાર

ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona)ની ત્રીજી લહેરમાં 24 હજાર જેટલા કેસ નોંધાયા હતા. આ દરમિયાન શાળાઓમાં ધોરણ 1 થી 9 ફરી 31 જાન્યુઆરી સુધી ઓનલાઈન શરુ કરી દેવામાં આવ્યા હતા. હવે આવતીકાલે 15મી ફેબ્રુઆરી સુધીમાં આ ઓનલાઈન શિક્ષણ(Online education) ઓફલાઈન શરૂ થાય તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં, ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાં, સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા સરકાર પર શાળાઓ વહેલી શરૂ કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ અને શાળા સંચાલકો સાથે ચર્ચા કરીને જિલ્લા શિક્ષણાધિકારીઓનો અભિપ્રાય લઈને ઓફલાઈન શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લઈ શકે છે.

શાળાઓ વિશે હજુ સુધી કોઈ માહિતી નથી: સચિવ, શિક્ષણ બોર્ડ
માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે કહ્યું, “બેઠક કે શાળાઓ ખોલવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મને હજુ સુધી કોઈ સૂચના મળી નથી. નોંધપાત્ર છે કે, રાજ્યમાં 1 થી 9 ની શાળાઓમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે, 31 જાન્યુઆરી સુધી ઑફલાઇન અભ્યાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ મુદત આજે પૂરી આજરોજ પૂરી થઇ ગઈ છે.

મુખ્યમંત્રીની હાજરીમાં શિક્ષણ વિભાગની બેઠક યોજવામાં આવશે:
બીજી તરફ, રાજ્યમાં કોરોના કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાથી ખાનગી શાળાના સંચાલકો ધોરણ 1 થી ધોરણ 9 સુધીના વર્ગો ફરીથી શરૂ કરવા દબાણ કરી રહ્યા છે. તેમણે સરકારને આવેદનપત્ર પણ આપ્યું છે. આ રજૂઆત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં શિક્ષણ વિભાગની મહત્વની બેઠક યોજાશે, જેમાં શાળા ખોલવાનો નિર્ણય લેવામાં આવશે. આ અંગે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, હવે સરકાર કોઈ જોખમ નહીં લે, અમદાવાદમાં પણ હવે ત્રણ હજારથી વધુ કેસ આવી રહ્યા છે. જ્યાં સુધી કોરોના કેસ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી શાળાઓ શરૂ નહીં થાય.

આરોગ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશેઃ શિક્ષણ મંત્રી
સ્કૂલ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં ધોરણ 6 થી 8 અને ત્યારબાદ 1 થી 5 સુધી ઑફલાઇન વર્ગો શરૂ કરવા સરકારને દરખાસ્ત આપવામાં આવી હતી. 26 જાન્યુઆરીએ રાજકોટમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે શાળા શરૂ થશે કે નહીં તે આરોગ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે. ફી વધારાના મુદ્દે ગોળગોળ જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે, FRC એ હાઈકોર્ટ દ્વારા નિમાયેલી કમિટી છે, સરકારને તેની સાથે કોઈ લેવાદેવા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *