Pathankot Attack ના 8 વર્ષ: વાંચો ભારતીય સેનાના વેશમાં આવેલા આતંકીઓ કેવી રીતે ઘુસ્યા હતા?

Pathankot Attack Anniversary: લગભગ સાત વર્ષ પહેલા જ્યારે આખો દેશ નવા વર્ષની ઉજવણી કરી રહ્યો હતો, તે જ સમયે પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓએ પઠાણકોટ એરબેઝ પર…

Pathankot Attack Anniversary: લગભગ સાત વર્ષ પહેલા જ્યારે આખો દેશ નવા વર્ષની ઉજવણી કરી રહ્યો હતો, તે જ સમયે પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓએ પઠાણકોટ એરબેઝ પર હુમલો કરીને ભારતને આતંકિત કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. 2-3 જાન્યુઆરી 2016ની રાત્રે સેનાના યુનિફોર્મમાં સજ્જ આતંકવાદીઓએ પઠાણકોટ એરબેઝ સ્ટેશન (Pathankot Attack 2 January 2016) પર હુમલો કર્યો હતો.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની તપાસમાં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે આરોપીઓ હુમલાના લગભગ એક મહિના પહેલા ભારતમાં ઘુસ્યા હતા. આ પછી તેણે અહીં રહીને રેકી કરી અને યોગ્ય સમયની રાહ જોઈ. પાકિસ્તાનના રહેવાસી નાસિર હુસૈન, હાફિઝ અબુ, ઓમર ફારુક અને અબ્દુલ કયૂમ ભારત પર હુમલો કરવા આવ્યા હતા. આતંકવાદીઓએ Pathankot Attack હુમલા માટે ‘નિકાહ’ કોડ તરીકે રાખ્યો હતો. સાથે જ આતંકીઓને ‘બારાતી’ નામ આપવામાં આવ્યું હતું.

2 જાન્યુઆરી 2016 ના રોજ કેટલાક ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ પંજાબના પઠાણકોટમાં એરફોર્સ બેઝમાં પ્રવેશ્યા અને અંધાધૂંધ ગોળીબાર કરવાનું શરૂ કર્યું. સુરક્ષા દળોના લગભગ 80 કલાકના ઓપરેશન બાદ તે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ હુમલામાં 7 ભારતીય જવાનો પણ શહીદ થયા હતા. પંજાબના પઠાણકોટ સ્થિત એરબેઝ પર આ આતંકી હુમલો આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે કર્યો હતો.

આ પઠાણકોટ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ શાહિદ લતીફ હતો. પઠાણકોટ એરફોર્સ સ્ટેશન ભારત- પાકિસ્તાન બોર્ડર નજીક છે. પંજાબના પઠાણકોટ એરફોર્સ બેઝ પર થયેલા આતંકવાદી હુમલાના મામલામાં અમેરિકાએ ભારતને પુરાવા આપ્યા હતા જેમાં પાકિસ્તાનનો હાથ હોવાની જાણકારી પણ આપેલ હતી.

ઉલ્લેખનીય છે કે આજે  પઠાણકોટ એરબેઝ પર 2016ના આતંકવાદી હુમલાની વર્ષગાંઠ છે. આ હુમલો આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે કર્યો હતો. એરબેઝ પર હુમલો કરનાર આતંકવાદીઓ ડિસેમ્બર 2015માં પાકિસ્તાનથી ભારતીય સરહદમાં ઘૂસ્યા હતા. બધા રાવી નદી થઈને ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવ્યા હતા.

ભારતીય વિસ્તારમાં પહોંચ્યા બાદ આતંકવાદીઓએ કેટલાક વાહનોને હાઇજેક કર્યા અને પઠાણકોટ એરબેઝ તરફ આગળ વધ્યા. 2 જાન્યુઆરી 2016ના રોજ સવારે 3.30 કલાકે આતંકવાદીઓ હથિયારો સાથે એરબેઝ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા. આ હુમલામાં એરબેઝની અંદર સાત સુરક્ષાકર્મીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે 37 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ ઓપરેશન લગભગ 65 કલાક સુધી ચાલ્યું. તેમાં સામેલ તમામ આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે પાકિસ્તાનમાં બેઠેલા તેમના હેન્ડલર શાહિદ લતીફને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો. જેનું મોત બાદમાં પાકિસ્તાનમાં થયુ હતું.  આ કેસ NIAની સ્પેશિયલ કોર્ટ, મોહાલીમાં ચાલી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *