સુરત પોલીસ કમિશ્નરના જાહેરનામાના ભંગ બદલ ગણપતિની 2 ફૂટથી ઉંચી મૂર્તિ લઇ જતા આયોજકો સામે કાર્યવાહી

સુરત પોલીસ કમિશનરે ગણપતિ ઉત્સવના તહેવારને ધ્યાનમાં રાખીને એક જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં જણાવાયું હતું કે બે ફૂટથી ઊંચી મૂર્તિ સ્થાપન કરી શકાશે નહીં.

એવામાં આજે બે ફૂટથી ઉંચી ગણેશજીની મૂર્તિઓ લઈ જતા આયોજકોની પોલીસે અટકાયત કરી છે. પોલીસે આયોજકોની સાથે સાથે ગણેશજીની મૂર્તિની પણ અટકાયત કરવામાં આવી છે.

શહેરમાં બે ફૂટથી ઊંચી મૂર્તિ સ્થાપન ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પહેલા કોઈ આવો પ્રતિબંધ હતો નહીં પરંતુ કોરોના કાળને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

આ મૂર્તિ લઈ જતા લોકો ઉપર ઉમરા પોલીસે કાર્યવાહી કરી છે. આ જાહેરનામાનો ભંગ કરતા પાંચ ગણેશ આયોજકો વિરુદ્ધ ઉમરા પોલીસે કાર્યવાહી કરી છે. નિયમ બે ફૂટથી ઊંચી મૂર્તિ નો હતો પરંતુ આયોજકો પાંચ ફૂટની મૂર્તિ લઈ જતા હતા તેના લીધે તેમની અટકાયત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *