જાણો શું છે જગન્નાથ પૂરીના ખજાનાનું રહસ્ય? 38 વર્ષથી બંધ મંદિરની તિજોરી ખોલવાની ઉઠી માંગ

Puri Jagannath Temple Treasure: ઓડિશામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે કેટલીક જૂની માંગને ફરી વેગ આપવામાં આવી રહ્યો છે. આમાંથી એક છે જગન્નાથ મંદિરની તિજોરી ખોલીને તેની તપાસ કરવામાં આવે. રસપ્રદ વાત એ છે કે, ભાજપ અને કોંગ્રેસ બંને આ ઈચ્છે છે. તાજેતરમાં કેટલાક નેતાઓનું એક જૂથ મંદિર પ્રબંધન સમિતિને મળ્યું હતું અને રત્ન ભંડાર ખોલવાની વાત કરી હતી. પરંતુ સવાલ એ છે કે આ ભંડાર શું છે, આટલા વર્ષોથી કેમ બંધ છે અને હાલમાં જ તેની તપાસ શા માટે થઈ રહી છે?

શું છે ખજાનાનું રહસ્ય?
તેમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાના કિંમતી આભૂષણો અને કિંમતી વાસણો રાખવામાં આવ્યા છે. આ તે વસ્તુઓ છે જે તે સમયના રાજાઓ અને ભક્તોએ મંદિરમાં અર્પણ કરી હતી. ત્યારથી 12મી સદીમાં બનેલા મંદિરમાં આ વસ્તુઓ રાખવામાં આવી છે.

આ ભંડારઘરના પણ બે ભાગો છે, એક બાહ્ય અને આંતરિક ભંડાર પણ છે. બહારનો ભાગ સમયાંતરે ખોલવામાં આવે છે. તહેવારો કે ખાસ પ્રસંગોએ પણ તેને ખોલીને આભૂષણો કાઢીને દેવતાઓને શણગારવામાં આવે છે. આ હંમેશા રથયાત્રા દરમિયાન થાય છે. ત્યારે આંતરિક ભંડાર છેલ્લા 38 વર્ષથી બંધ છે.

તમને જણાવી દઈએ કે, આ ભંડાર છેલ્લે વર્ષ 1978માં ખોલવામાં આવ્યું હતું. આ સત્તાવાર માહિતી છે. વર્ષ 1985 માં પણ, આંતરિક ચેમ્બર ખોલવામાં આવી હતી, પરંતુ તે ક્યા કારણોસરથી ખોલવામાં આવ્યો હતો અને તેની અંદર શું શું વસ્તુઓ છે તે જાણવામાં આવ્યું ન હતું.

રત્ન ભંડારની અંદર કેટલો ખજાનો છે?
વર્ષ 2018 માં, વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં, ભૂતપૂર્વ કાયદા પ્રધાન પ્રતાપ જેનાએ કહ્યું હતું કે, 1978 માં, લગભગ સાડા 12 હજાર ભરી (એક ભરી બરાબર 11.66 ગ્રામ) રત્ન ભંડારમાં સોનાના આભૂષણો હતા. જે કિંમતી પથ્થરોથી જડેલા હતા. તેમજ 22 હજારથી વધુની કિંમતના ચાંદીના વાસણો હતા. અન્ય ઘણા ઝવેરાત પણ હતા, જેનું તે સમયે વજન નહોતું કરવામાં આવ્યું.

શું છે ભંડારને ખોલવાની પ્રક્રિયા?
ચાલો હવે જાણીએ કે આ ભંડારને ખોલવા માટે શું કરવું પડશે. આ માટે ઓડિશા સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ની વિનંતી પર, ત્યાંની હાઈકોર્ટે 2018 માં પણ તેને ખોલવાનો આદેશ આપ્યો હતો પરંતુ પ્રક્રિયા પૂર્ણ થઈ શકી ન હતી. તેનું કારણ પણ ઘણું વિચિત્ર રીતે રજુ કરવામાં આવ્યું હતું અને જે હતું ચેમ્બરની ચાવી નથી મળી રહી.

કોની પાસે છે ચાવીઓ?
હવે આવે છે રત્ન ભંડારને ખોલવાની ખાસ વાત ભંડારની ચાવી. નિયમો અનુસાર, આ ચાવી પુરીના કલેક્ટર પાસે છે. તત્કાલિન કલેક્ટર અરવિંદ અગ્રવાલ હતા. તેમણે કબૂલ્યું કે તેમને ચાવીની કોઈ જાણકારી નથી. આ પછી સમગ્ર રાજ્યમાં ભારે હોબાળો થયો હતો. સીએમ નવીન પટનાયકે પણ દરમિયાનગીરી કરવી પડી હતી. તે અંગે તપાસના આદેશ આપ્યા હતા. લગભગ 2 અઠવાડિયા પછી, તપાસ સમિતિએ જાણ કરી કે તેમને એક પરબિડીયું મળ્યું છે જેના પર લખ્યું હતું – આંતરિક રત્ન સ્ટોરની ડુપ્લિકેટ ચાવીઓ. આ સાથે એક લાંબો રિપોર્ટ પણ આપવામાં આવ્યો હતો, પરંતુ તેમાં શું લખ્યું હતું તે ક્યારેય જાહેર કરી શકાયું નથી.

ખજાનાની ચાવીને લઈને ફરી વિવાદ
ગયા વર્ષે જ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. વિરોધ પક્ષો પણ વિવિધ આક્ષેપો કરી તિજોરીની તપાસની માંગ કરી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને, મંદિર સમિતિએ સરકારને રત્ન ભંડાર ખોલવાની મંજૂરી આપવા વિનંતી કરી. ઓરિસ્સાના રત્ન ભંડારનું રહસ્ય એકલું નથી, દેશમાં એક બીજું મંદિર પણ છે, જેના દરવાજા વિશે ઘણી ચર્ચા છે.

આ ખજાનાનો દરવાજો આજ સુધી ખોલી શકાયો નથી
કેરળના શ્રી પદ્મનાભસ્વામી મંદિરની ગણતરી સૌથી અમીર મંદિરોમાં થાય છે. કહેવાય છે કે તેના ગુપ્ત ભોંયરામાં એટલો બધો ખજાનો છુપાયેલો છે જેનો કોઈ અંદાજ પણ લગાવી શકતું નથી. આવા 7 ભોંયરાઓ છે, જેમાંથી છ ખોલવામાં આવ્યા છે, પરંતુ સાતમાનો દરવાજો હજુ પણ બંધ છે. આ દરવાજા સુપ્રીમ કોર્ટની દેખરેખમાં ખોલવામાં આવ્યા હતા, જેમાંથી ઘણો ખજાનો મળી આવ્યો હતો. આને મંદિર ટ્રસ્ટમાં જમા કરાવ્યા બાદ સાતમો દરવાજો ખોલવાનો પ્રયાસ થતાં જ અનેક મુશ્કેલીઓ ઉભી થવા લાગી. મંદિરના ભક્તોનું માનવું છે કે, ન્યાયાધીશ ટીપી સુંદરાજન, જેમની અધ્યક્ષતામાં દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, આ ખુલ્લા દરવાજાના કારણે અચાનક મૃત્યુ પામ્યા હતા. ઈતિહાસકાર અને પ્રવાસી એમિલી હેચે તેમના પુસ્તક – ‘ત્રાવણકોરઃ અ ગાઈડ બુક ફોર ધ વિઝિટર’ માં મંદિરના રહસ્યમય દરવાજાનો ઉલ્લેખ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *