એકબાજુ દીકરીની ડોલી ઉઠી ને, બીજીબાજુ પિતાની અર્થી… દીકરા-દીકરીના લગ્ન પહેલા જ પિતાનું નિધન- છતાં આ કારણે થયા લગ્ન!

Rajasthan (રાજસ્થાન): ઘરમાં સર્વત્ર ખુશીનો માહોલ હતો, મહિલાઓ શુભ ગીતો ગાતી હતી, મહેમાનો આવી ગયા હતા. ભાઈ-બહેનના લગ્નની તૈયારીઓ થઈ ગઈ હતી. ઘરમાંથી દીકરીની વિદાયની અને નવી વહુના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી હતી. આ દરમિયાન એક અકસ્માત થતાં તમામ ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી.

આ અકસ્માત નાગૌરના દેગાનામાં થયો હતો. અહીં પુત્ર અને પુત્રીના લગ્નના એક દિવસ પહેલા પિતાનું મૃત્યુ થયું હતું. આ હૃદયદ્રાવક ઘટના ચંદ્રુણ ગામમાં બની હતી. ઓમપ્રકાશ જાંગીડ (53)ની પુત્રી જ્યોતિ (22) અને પુત્ર દીપક (24)ના લગ્ન આજે એક જ દિવસે થયા હતા. પુત્રી અને પુત્રના લગ્નના કારણે ઘરમાં ખુશીનો માહોલ હતો.

મંગળવારે સાંજે ઓમપ્રકાશ લગ્નનો સામાન લેવા માટે ચંદ્રુનથી દેગાણા શહેરમાં સ્કૂટી પર ગયો હતો. તેઓ મોડી સાંજે સામાન લઈને ગામ પરત ફરી રહ્યા હતા. દેગાણા-ચંદ્રન રાજ્ય ધોરીમાર્ગ પર ગામથી માત્ર 1.5 કિલોમીટર દૂર સરકારી શાળા પાસે ટ્રેક્ટરએ ઓમપ્રકાશને અડફેટે લીધો હતો. અકસ્માતમાં ઓમપ્રકાશને ગંભીર રીતે ઈજાઓ થઇ હતી.

દેગાના પોલીસ સ્ટેશનના પ્રભારી અર્જુન લાલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ઓમપ્રકાશને ગંભીર હાલતમાં દેગાના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં તબીબે ઓમપ્રકાશને મૃત જાહેર કર્યા હતા. મૃતદેહને મંગળવારે રાત્રે દેગાણા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો હતો.

આ માર્ગ અકસ્માતની ચર્ચા પરિવારના કેટલાક સભ્યોમાં હતી. ઘરમાં બે લગ્ન હતા તેથી બાળકોને અકસ્માત વિશે ન કહેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાદાઈથી લગ્ન કરશે અને પછી અંતિમ સંસ્કાર કરશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. સંબંધીઓ અને કેટલાક ગ્રામજનોએ લગ્નની જવાબદારી લીધી અને વિધિ કરી હતી.

બુધવારે દિવસ દરમિયાન દીપકની જાન બુટાટી (નાગૌર) ખાતે ગઈ હતી. જયારે બપોરે જ્યોતિની જાન બિખારાનિયા (નાગૌર)થી આવી હતી. જાનનું સ્વાગત શુભ ગીતો ગાયને કરવામાં અવાયું હતું. દીકરી જ્યોતિના લગ્ન વિશ્વકર્મા મંદિરમાં કર્યા હતા. લગ્નના નામે વિધિઓ કરીને જ્યોતિને વિદાય આપવામાં આવી હતી. દીપક પણ કન્યા ભારતી સાથે ઘરે પહોંચ્યો હતો.

સાંજે 4 વાગ્યાની આસપાસ પુત્રવધૂ ઘરમાં પ્રવેશ્યા બાદ ઓમપ્રકાશની ડેડબોડી ઘરે લાવવામાં આવી હતી. મૃતદેહ ઘરે પહોંચતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દીપક અને જ્યોતિની માતાનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું. આવી સ્થિતિમાં લગ્ન પહેલા જ બંનેના માથા પરથી પિતાનો પડછાયો પણ ઊઠી ગયો હતો.

ગામના ધર્મેન્દ્ર જાંગીડે જણાવ્યું કે, ઓમપ્રકાશની કૌટુંબિક સ્થિતિને જોતા તેના શિક્ષક ભાઈ લક્ષ્મીનારાયણ જાંગીડે દીપક અને જ્યોતિના લગ્નનો સમગ્ર ખર્ચ ઉઠાવ્યો હતો. સાંજે 5 વાગ્યે ઓમપ્રકાશના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. બંને ભાઈ-બહેનો ખુબજ રડી પડ્યાં હતા. આ ઘટનાથી સમગ્ર પરિવારમાં દુઃખનો માહોલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *